કોરોના વાયરસ વિશે શરૂઆતથી જ સમગ્ર જગતને શંકા હતી કે તે ચીનના વુહાન વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાંથી નીકળીને વિશ્વભરમાં ફેલાયો હતો. કોરોના વાયરસના પ્રથમ દર્દીઓ ચીનના વુહાન શહેરમાં જ જોવા મળ્યા હતા. ચીનની સરકારે હંમેશા પોતાના પરના આ આરોપોને નકારી કાઢીને એવા ખુલાસા કર્યે રાખ્યા કે કોરોના વાયરસ તેના વુહાન અથવા અન્ય કોઈ લેબમાંથી બહાર આવ્યો નથી અને ન તો આ વાયરસ વિશે કોઈ સંશોધન ચાલી રહ્યું છે. હવે શેન શાઓ નામના સંશોધકના મિત્રએ દાવો કર્યો છે કે ચીને કોરોના વાયરસને જૈવિક હથિયાર બનાવ્યું હતું. શેન શાઓનાં મિત્રએ ઈન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગ સાથેની મુલાકાતમાં આ દાવો કર્યો હતો. એ હજીપણ ક્યારેય સ્ફોટક બની શકે તેવું નકારાય એમ નથી.
શેન શાઓને ટાંકીને તેના મિત્રએ જણાવ્યું કે નાનજિંગમાં શેનને કોરોના વાયરસના 4 સ્ટ્રેન આપીને તેની અગ્નિશક્તિની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. શાઓએ તેના મિત્રને કહ્યું કે તેણે વાંદરાઓ અને ઉંદરો સિવાયના પ્રાણીઓમાં કોરોના વાયરસની આ 4 જાતોની ઘાતકતાનું પરીક્ષણ કર્યું છે. શેન ચાઓના મિત્રએ જણાવ્યું કે વર્ષ 2019માં જ્યારે લોકો કોરોના વાયરસથી બીમાર પડવા લાગ્યા ત્યારે શેન ચાઓએ તેમને ફોન કર્યો. ચાઓએ આ બાબતો પર તેની સામે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેણે કોરોનાને મારણ બનાવીને ખોટું કર્યું છે. ચીનના સંશોધક શેન ચાઓએ ઈન્ટરવ્યુમાં એક ધમાકેદાર ખુલાસો કર્યો છે.
કોઈ એ દિવસો ઊંઘમાં પણ ભૂલી શકે તેમ નથી કે 2019ના અંતમાં ચીનમાં કોરોના મહામારીએ દસ્તક આપી હતી. જોત જોતામાં આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો. આના અનેક વેરિએન્ટ સામે આવ્યા. તેમાંથી, ડેલ્ટા સ્વરૂપે વિશ્વમાં લગભગ 50 મિલિયન લોકો મર્યા. ભારતમાં પણ કોરોના વાયરસના ડેલ્ટા સ્ટ્રેનને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સમગ્ર વિશ્વ દિવસો સુધી સ્થગિત થઈ ગયું હતું.