રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર તરસાલી ખાતે મોટા ભૂસ્ખલનને કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. અહીં કાટમાળમાં દટાયેલું એક વાહન મળ્યું છે, જેમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ચાર ગુજરાતી યુવકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તરાખંડ પ્રશાસન સુત્રોના હવાલેથી મળતી વિગતો અનુસાર, 10 ઓગસ્ટ, 2023ની સાંજે ફાટા (તરસાલી) પાસે રોડ ઉપરથી ભારે ખડકો અને કાટમાળ આવી જતાં રસ્તા પર કાટમાળમાં એક ચાલતું વાહન દટાયું હોવાની માહિતી મળી હતી.
માહિતી મળતાં જ રાહત અને બચાવ કામગીરી સંભાળતાં તંત્રએ જેસીબીના માધ્યમથી કાટમાળ હટાવ્યો ત્યારે એક વાહન UK 07 TB6315 (સ્વીફ્ટ ડીઝાયર ટુર્સ) જેમાં સવાર 5 વ્યક્તિઓ હતા. વાહનની અંદર કાટમાળમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃતકોમાં જીગર મોદી ભાડવાતનગર તથા મહેશ દેસાઈ સ્મૃતિમંદિર પાસે રહેતો હોવાનું બહાર આવ્યુ છે. એઉપરાંત ઘોડાસર ન્યુ આરતી સોસાયટીમાં રહેતો કુશલ સુથાર તથા મહેમદાબાદનો દિવ્યેશ પારેખ પણ સાથે હતા.જેની ઓળખ તેમની પાસેથી મળી આવેલા ઓળખ પત્ર દ્વારા કરવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે સાંજે આ અકસ્માત થયો હતો. આ ચારેય યુવકો પાંચ દિવસ પુર્વે કારમાં ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા. સૌપ્રથમ હરિદ્વાર ગયા હતા અને ત્યાંથી ચારધામ યાત્રાએ જવા રવાના થયા હતા. આ દરમિયાન ગુરૂવારે રાત્રે કેદારનાથ યાત્રાએ જતી વેળાએ દુર્ઘટના થઈ હતી. વિધીની વક્રતા તો જૂઓ કે,
કેદારનાથ દુર્ઘટનામાં મોતને ભેટેલા યુવકો પૈકી ઘોડાસરમાં ન્યુ આરતી સોસાયટીમાં રહેતા કુશલ સુથારનો આજે જન્મદિવસ છે. 35 વર્ષિય યુવકના જન્મદિન ટાણે જ મોતના સમાચાર આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.