અંબાણી પરિવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. લગભગ બધા જાણે છે કે અંબાણી પરિવારને બિઝનેસની સાથે ભગવાનમાં પણ ઊંડી શ્રદ્ધા છે. અંબાણી પરિવાર ઘણા મંદિરોની મુલાકાત લેતો જોવા મળ્યો છે. જો કે અંબાણી પરિવારનો રાજસ્થાનના મંદિરો સાથે પણ ખાસ સંબંધ છે.
મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના પરિવારના સભ્યો મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચ્યા. આ સાથે આ દ્વારકાધીશ મંદિરે પણ સમયાંતરે પધારતા રહે છે. જો કે, આ પરિવાર રાજસ્થાનના એક મંદિરમાં પણ જાય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.
રાજસમંદ જિલ્લાનું શ્રીનાથજી મંદિર
આ મંદિર રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા શહેરમાં છે. આ મંદિરનું નામ શ્રીનાથજી મંદિર છે, જે અંબાણી પરિવારના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. અંબાણી ઘણીવાર જન્મદિવસ, વર્ષગાંઠ અથવા નવી શરૂઆત પહેલા શ્રીનાથજી મંદિરની મુલાકાત લે છે.
અંબાણી પરિવાર માટે શ્રીનાથજી મંદિરનું મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ આ મંદિરમાં થઈ હતી. અનંત અંબાણીએ વર્ષ 2022માં રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી.
વર્ષ 2022 માં શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધા પછી, મુકેશ અંબાણીએ 5G સેવાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું અને ત્યારબાદ 5G શરૂ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં વર્ષ 2015માં જ્યારે 4જી સર્વિસ શરૂ થઈ ત્યારે પણ મુકેશ અંબાણી આ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
શું છે આ મંદિરનો ઈતિહાસ?
એવું કહેવાય છે કે શ્રીનાથજીની મૂર્તિ 1665માં વૃંદાવન નજીક ગોવર્ધનથી રાજસ્થાન લાવવામાં આવી હતી. આ મૂર્તિને મેવાડ લાવવામાં 32 મહિના લાગ્યા હતા. આ મંદિર પાછળની રસપ્રદ કથા એ છે કે જ્યારે ભગવાનની મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી ત્યારે સિહાર નામની આ જગ્યા પર રથનું પૈડું અટકી ગયું હતું. ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે તે ન મળ્યું ત્યારે તેને દૈવી સંકેત માનીને ત્યાં મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.