ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીંયા મોટા પ્રમાણમાં દારૂ વહેંચાઈ છે.જેની પાછળ મોટા અધિકારીઓની મહેરબાની જોવા મળતી હોઈ છે.ત્યારે ગુજરાતમાં ફરી એકવાર દેશી દારૂએ લોકોના જીવ લીધા છે.ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે હવે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. દારૂ પીધા બાદ થયા 2 લોકોના મોત જ્યારે 3 વ્યક્તિ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિકની તપાસમાં કેફી પ્રવાહી ઉપરથી પડદો ઉચકાશે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.
દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જ્યાં બે વ્યક્તિઓના મોત તેમજ ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
![](https://gujaratbreaking.com/wp-content/uploads/2024/01/image-131.png)
ઘટના બનતા જ હાલમાં 108 એમ્બ્યુલન્સને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળતા તેમના સારવાર અર્થે ખસેડાયા છે.આ સમગ્ર બનાવની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવી હતી.જે પછી રખિયાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.જે પછી દારુના અડ્ડા અને દારુ વેચનારાઓની શોધખોળ શરુ કરી હતી.
બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને લઠ્ઠાકાંડ થયો હોવાની શંકા હતી. જો કે હવે FSI રિપોર્ટથી આ ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયુ છે. FSIના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જે દારૂ પીવાયો હતો, તેમાં મિથેનોલની હાજરી નથી. જેથી લઠ્ઠાકાંડ થવાની આશંકા હતી, તે દૂર થઈ ગઈ છે. વધુ પડતા દારૂના સેવન અને અન્ય બીમારીના લીધે બે લોકોના મોત થયાની આશંકા છે.