એરલાઈન્સ દ્વારા હવાઈ મુસાફરો પર નવા નવા ચાર્જ લગાવવામાં આવી રહ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સે SME ટિકિટો પર કેન્સલેશન ચાર્જ વધાર્યો છે. આ અંતર્ગત, જો SME એર પેસેન્જર્સ 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરે છે, તો તેમને 1499 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને જો તેઓ 24 કલાક પછી ટિકિટ કેન્સલ કરે છે, તો 499 રૂપિયા ચાર્જ કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ફી એસએમઈ મુસાફરો માટે નક્કી કરવામાં આવી છે. આ નિયમ એવા મુસાફરો માટે લાગુ થશે જેમણે ટિકિટ બુક કરાવી છે. બીજી તરફ, જો તમે સામાન્ય એર ટિકિટમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારી ટિકિટ કેન્સલ કરાવવા પર 3000 થી 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.
ઉપરાંત, જો તમારું 12 વર્ષનું બાળક ફ્લાઇટમાં એકલું મુસાફરી કરે છે, તો તેણે વધારાની ચૂકવણી કરવી પડશે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સુત્રોનું માનીએ તો, આ રીતે એરલાઈન પોતાની મનમરજીથી કામ કરી રહી છે. તેનાથી મુસાફરોને જ નુકસાન થાય છે.
આ વધારાની ફી પણ છે
- એકલા મુસાફરી કરતા 12 વર્ષથી નીચેના બાળક માટે અલગથી શુલ્ક લેવામાં આવશે.
- ખેલાડીઓ માટે રમતગમતનો સામાન લઈ જવા માટે વધારાનો ચાર્જ
- પ્લેનમાં આગળની હરોળમાં બેસવા માટે 1500 રૂપિયા પ્રતિ યાત્રી અને તે પછી પાંચમી હરોળ સુધી 350 રૂપિયા
- પાંચમી લાઈન પછી 0 250 અને પછી 150 આપવાના રહેશે
- એરપોર્ટ કાઉન્ટર પરથી બોર્ડિંગ કાર્ડ લેવા માટે રૂ. 200 ચૂકવવા પડશે
- એરલાઇન દ્વારા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પણ અલગ અલગ કેન્સલેશન શુલ્ક લાગુ પડે છે