દૂધ અને દૂધની બનાવટો જેવી કે દહીં, માખણ, ચીઝ, ઘી વગેરે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓનું જ્યોતિષીય મહત્વ પણ ઘણું વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં દૂધને હંમેશા પવિત્ર માનવામાં આવે છે. પહેલાના જમાનામાં ઘરના વડીલો ઘરમાં દૂધ ઢોળવાની ના પાડતા. જ્યોતિષની માન્યતા છે કે તે અશુભ છે. જો કોઈ કારણસર દૂધ ધોલાઈ અથવા બગડીજાય તો તે પણ અત્યંત અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ, દૂધમાં ખાતી વસ્તુ નાખીને પનીર બનાવવું શા માટે અશુભ માનવામાં આવે છે અને કયો ગ્રહ દોષ લાગે છે…
આ ગ્રહો દૂધ સાથે સંબંધિત છે
જો તમે પણ ઘરે દૂધમાં દહીં નાખીને પનીર બનાવો છો, તો તમે તમારું જ ભાગ્ય બગાડી રહ્યા છો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્ર તમામ સફેદ રંગના જળચર પદાર્થો સાથે સંબધિત છે. તેથી દૂધનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે, જે નવ ગ્રહોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે. વ્યક્તિની કુંડળીમાં તેનું શુભ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો દૂધ ઢોળાય તો શું થાય?
લીંબુ, આમલીનું પાણી, સરકો અથવા અન્ય ખાટી વસ્તુઓનો ઉપયોગ ઘરે દૂધમાંથી પનીર કરવા માટે થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અશુભ ગ્રહ કેતુને ખાટી અને તીક્ષ્ણ વસ્તુઓમાં વાસ માનવામાં આવે છે. જ્યારે તમે દૂધમાં લીંબુનો રસ નાખો છો, તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી ચંદ્ર અને કેતુનું મિલન થાય છે. આ મિલન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર કેતુને મળે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આનાથી ચંદ્ર દોષ વધે છે, જે જીવન પર ખૂબ નકારાત્મક અસર કરે છે.
આ જીવન પરની અસરો છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર મન, મગજ, ચહેરાની આભા, માતા, જમણી આંખ, કફ, ચાંદી, દૂધ વગેરેનો કારક અને શાસક ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે ઘરે દૂધમાં દહીં નાખીને પનીર બનાવવાથી જીવનના આ તમામ પાસાઓ પર ખરાબ અસર પડે છે.
તમારું મન અશાંત રહી શકે છે, માનસિક અશાંતિ વધી શકે છે અને કોઈ માનસિક બીમારી થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી શકે છે. ઘરમાં વારંવાર પનીર બનાવવાથી તેઓ લાંબા સમય સુધી બીમાર રહી શકે છે.
તમને તમારી આંખો, ખાસ કરીને તમારી જમણી આંખ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં કફની માત્રા વધી શકે છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે.
તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે, જે તમામ પ્રકારના કામ પર નકારાત્મક અસર કરી શકે છે.