ચૂંટણીમાં લહેરનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે હારજીતના માર્જિનનું વિશ્લેષણ કરવું. ચાર રાજ્યના પરિણામોમાં પણ કેટલાક રસપ્રદ હારજીતના કિસ્સા સર્જાયા જેનું રાજકીય વિશ્લેષણ આગામી લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ તો રસપ્રદ છે જ સાથોસાથ જે તે પક્ષ માટે પણ ઉપયોગી દસ્તાવેજ સાબીત થાય તેમ છે.
શરૂઆત કરીએ તેલંગાણાથી તો તેલંગાણાના આઉટગોઇંગ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) અને રાજ્યના સંભવિત મુખ્ય પ્રધાન અને રાજ્ય કોંગ્રેસના વડા એ. રેવંત રેડ્ડી કામરેડ્ડી બંને બેઠકો ભાજપના ઉમેદવાર સામે હારી ગયા. ભાજપના વેંકટ રમન રેડ્ડીએ KCRને 6741 મતોના માર્જિનથી હરાવ્યા. સવારે મતગણતરી શરૂ થયા બાદ ભાજપના ઉમેદવારે લીડ મેળવી હતી. આ પછી રેવંત રેડ્ડી આગળ રહ્યા. કેસીઆર પણ કેટલાક રાઉન્ડમાં આગળ હતા.
એ જ પ્રમાણે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પરિણામ પર નજર કરીએ તો તેમની સરદારપુરા સીટ પરથી 26396થી જીત થઈ. ભાજપના પ્રો. ડો. મહેન્દ્ર રાઠૌડને 70463 વોટ મળ્યા.
મધ્ય પ્રદેશમાં બુધની પર ગત ટર્મના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને 164951 મત મળ્યા સામે કોંગ્રેસને 59977 વોટ મળ્યા
છત્તીસગઢ ભૂપેશ વાઘેલ 95438 મત મળ્યા સામે ભાજપના વિજય બઘેલને 75715 વોટ પ્રાપ્ત થયા મતલબ કે ભૂપેશ વઘેલને 19723 મતોના માર્જીનથી જીત મળી.
મીઝોરમ ઝોરામથાંગા એઝવ્લ ઈસ્ટ-1 મીઝો નેશનલ ફ્રન્ટ તરફથી લડી રહ્યા હતા પરંતુ પરિણામોને અંતે તેમણે હારનો સામનો કરવો પડ્યો. લાલથામ સાંગાએ તેમને હાર આપી, ઝોરમ પીપલ્સ મુવમેન્ટને 10727 વોટ મળ્યા હતા જેના પ્રતાપે 2101થી ઝોરામથાંગાની હાર થઈ.
ત્યારબાદ વાત કરીએ 2024ની ચૂંટણીના સૌથી ચોંકાવનારા અને યાદગાર પરિણામોની તો. મધ્યપ્રદેશની ચૂંટણીમાં સૌથી મોટી જીત ઈન્દોર-2થી ભાજપના ઉમેદવાર રમેશ મેંદૌલાની હતી, જેમણે કોંગ્રેસના ચિન્ટુ ચોકસેને 1 લાખ 7 હજાર 47 મતોથી હરાવ્યા તો મધ્યપ્રદેશમાં સૌથી નાની જીત પણ ભાજપના નામે રહી હતી. આ બેઠક શાજાપુરની છે, જ્યાં ભાજપના અરુણ ભીમાવડે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી હુકુમચંદ કરાડાને 28 મતોથી હરાવ્યા હતા, જ્યારે NOTAમાં 1534 મત પડ્યા હતા. તેવી જ રીતે, શિવરાજ સિંહ કેબિનેટના મંત્રી કમલ પટેલ હરદામાં 870 મતોથી હારી ગયા હતા, પરંતુ તેમને ત્યાં NOTAમાં 2375 મત મળ્યા હતા.
lતેલંગાણામાં મંચેરિયલ જિલ્લાની ચેન્નુર (અનુસૂચિત જાતિ) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગદ્દામ વિવેકાનંદ સૌથી ધનિક ઉમેદવારોમાં પ્રથમ નંબરે હતા. તેમને કુલ 87541 વોટ મળ્યા છે. તેઓ 37,515 મતોની સરસાઈથી જીત્યા છે. વિવેકાનંદે 2009ની લોકસભા ચૂંટણી આંધ્ર પ્રદેશની પેદ્દાપલ્લી બેઠક પરથી જીતી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ. 6,06,67,86,871 (રૂ. 606 કરોડથી વધુ) છે, જેમાં રૂ. 3,80,76,38,171 કરોડની જંગમ સંપત્તિ અને રૂ. 2ની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. 25,91,48,700. રૂ.ની સ્થાવર મિલકત ધરાવે છે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં નાથદ્વારા સૌથી ગરમ બેઠકોમાંથી એક હતી. અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા સીપી જોશીનો મુકાબલો ભાજપના ઉદયપુરના રાજવી પરિવારના સભ્ય વિશ્વરાજ સિંહ મેવાડ સાથે હતો, જેમને તેઓ 7,504 મતોથી જીત્યા.
મધ્યપ્રદેશમાં ભાજપને કુલ 48.55% એટલે કે 2.11 કરોડ વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 40.40% એટલે કે 1.75 કરોડ વોટ મળ્યા છે. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસને મળેલા વોટમાં વધારો થયો છે. ઘટાડો થયો નથી. ટકાવારી ચોક્કસપણે કંઈક અંશે ઘટી છે. આ પહેલા 1977ની જનતા લહેરમાં જનસંઘને 47.28% વોટ મળ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિની લહેરમાં કોંગ્રેસને મધ્યપ્રદેશમાં 48.87% વોટ મળ્યા હતા.