કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાની રાહ જોવાઈ રહી છે. સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય પહેલા આગળ વધી રહ્યું છે અને સારો વરસાદ લાવવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં ચોમાસુ ક્યારે દસ્તક આપશે. ચોમાસું કેવું રહેશે ઉપરાંત ક્યારથી વિધીવત ચોમાસાની શરૂઆત થશે એ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ખૂબ ઊંચું તાપમાન આ વર્ષના ઉનાળા દરમિયાન જોયું છે. આજની તારીખમાં તાપમાન નોર્મલ કરતાં 1 ડિગ્રી નીચું આવી ચૂક્યું છે. આનું કારણ એ છે કે રાજ્યના અનેક વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ થયું છે. હવે 31 તારીખ સુધી તાપમાન ફરી ઊંચું જાય તેવી કોઇ શક્યતા નથી.તાપમાન તો નોર્મલ કરતાં નીચું આવી ચૂક્યું છે, પણ ગરમી અને બફારો જોવા મળી રહ્યું છે. એમાં હાલ કોઇ રાહત મળવાની નથી. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ હજુ વધારે બફારો જોવા મળશે. પરંતુ ત્રણથી ચાર દિવસ સુધી પવનની ગતિ વધેલી રહેશે.
જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે. જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે.ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.
નૈઋત્યના ચોમાસની વાત કરીએ તો, 19 મેના રોજ ચોમાસું અંડમાન નિકોબાર ટાપુ પર સમય કરતાં ત્રણથી ચાર દિવસ વહેલું પહોંચી ચૂક્યું હતું. તે પછી શ્રીલંકાના અનેક ભાગોને કવર કર્યું છે. હવે ગમે ત્યારે કેરળમાં નૈઋત્યના ચોમાસની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે.
હાલ ચોમાસાને લઇને બે માપદંડ ખૂટી રહ્યા છે. જેમાં પશ્ચિમ દિશાના પવનો દરિયાકિનારે ફૂંકાવવા જોઇએ, તે પણ 35 કિમીની ઝડપે પવન ફૂંકાવવો જોઇએ, હવે પવનની દિશા ફરી રહી છે. લગભગ 24થી 36 કલાકમાં કેરળમાં પવનની દિશા પશ્ચિમની થઇ જશે. બીજી બાજુ, ઓએલઆરનો ક્રાઇટએરિયા પણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
વરસાદની આગાહી માટેની પરંપરાગત પદ્ધતિઓ
આગાહીકારો જુદી-જુદ પ્રાચીન માન્યતાઓ અતે પરંપરા, જ્યોતિષવિધા, ખગોળવિદ્યા, લોકવાયકા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, પંચાંગનાં માધ્યમ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પદ્ધતિઓ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે.