લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામે છે. દેશભરમાં તેમના જન્મદિવસને વધુમાં વધુ ખાસ અને સૌથી યાદગાર બનાવવાની તાલાવેલી હોય એ સ્વભાવિક છે. ઠેરઠેર અનેક અનોખા આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસ માટે દરેક લોકોમાં એક અલગ ઉત્સાહ છે. રેતી કલાકાર અનિલ જોષીએ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભવ્ય પ્રતિમા તૈયાર કરી છે. વિશેષ વાત એ છે કે, તેમણે ફક્ત ત્રણ લોકોની મદદ વડે આ પ્રતિમા માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી છે.
પોતાની આ ઉત્કૃષ્ટ કૃતિ અંગે વાત કરતાં સેન્ડ આર્ટિસ્ટ અનિલ જોષીએ કહ્યું કે, ‘અમે ત્રણ લોકો હતા. આ સ્ટેચ્યુને તૈયાર કરવામાં અમને 24 કલાકનો સમય લાગ્યો હતો.’ સેન્ડ આર્ટિસ્ટ અનિલ જોશીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીની પ્રતિમાની સાથે તેમણે જી-20 સમિટમાં પણ તેમણે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.