ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતને અકસ્માત નડ્યો છે. મુંબઈથી ગાંધીનગર તરફ આવી રહી હતી ત્યારે સવારે 11 વાગ્યે મણિનગર સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો.ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ વંદે ભારત ટ્રેન એક ઢોર સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે.
જો કે, રેલ્વેએ કહ્યું કે આનાથી સેવાને કોઈપણ રીતે અસર થઈ નથી. અકસ્માતને કારણે ટ્રેનને થોડો સમય રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ અમદાવાદથી મુંબઈ દોડે છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સવારે 6.10 વાગ્યે ઉપડશે અને 12.10 વાગ્યે ગાંધી નગર પહોંચશે. બીજી તરફ, તે ગાંધીનગરથી બપોરે 2.05 વાગ્યે ઉપડશે અને 8.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ટ્રેનને મુંબઈથી અમદાવાદની મુસાફરીમાં 5.25 કલાકનો સમય લાગશે, જ્યારે ટ્રેનને ગાંધીનગર પહોંચવામાં 6.20 કલાકનો સમય લાગશે.