સર્વોચ્ચ અદાલતે ટ્રિબ્યુનલ્સમાં ખાલી જગ્યાઓ ભરવામાં લીધેલા “અસંગત” પગલાં બદલ ખેદ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે નોકરશાહી આ મુદ્દાને “હળવે”થી લઈ રહી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની આગેવાની હેઠળની બેંચ દેશભરની વિવિધ ટ્રિબ્યુનલ્સમાં ખાલી જગ્યાઓના મુદ્દા પર ધ્યાન આપી રહી છે. બેન્ચે અવલોકન કર્યું હતું કે શરૂઆતમાં કેટલીક નિમણૂકો પછી, કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
બેન્ચે કહ્યું કે NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)ના સભ્યો માટે સમય વધારવા માટે અરજીઓ મળી રહી છે. બેન્ચે કહ્યું કે શરૂઆતમાં કેટલીક નિમણૂકો પછી કંઈ થયું નથી. કોર્ટે કહ્યું કે તેમને સભ્યોના ભવિષ્ય વિશે જાણ નથી અને ઘણા સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. બેન્ચે કહ્યું કે નોકરશાહી આ મામલાને હળવાશથી લઈ રહી છે. સુનવણી કરતી આ બેન્ચમાં જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ થાય છે.
read more: કૂવા પાસે ચાલી રહ્યું હતું નાચગાન, સ્લેબ પર વધી ગઈ ભીડ, દર્દનાક અકસ્માતમાં 13 લોકોના મોત
એટર્ની જનરલ કેકે વેણુગોપાલ ખાલી જગ્યાઓ સંબંધિત મામલાઓમાં ખંડપીઠને મદદ કરી રહ્યા છે. તેઓએ ખાલી જગ્યાઓની યાદી અને તેને ભરવા લીધેલા પગલાં બતાવવાનો પ્રયાસ કર્યો. બેન્ચે કહ્યું કે તે આ મામલે બે અઠવાડિયા પછી સુનાવણી કરશે. ગયા વર્ષે ઓગસ્ટમાં સુનાવણી દરમિયાન આપવામાં આવેલા ડેટા અનુસાર, દેશભરમાં વિવિધ મુખ્ય ટ્રિબ્યુનલ અને એપેલેટ ટ્રિબ્યુનલ્સમાં લગભગ 250 જગ્યાઓ ખાલી છે.