શેરબજારમાં કામકાજના કલાકો વધારવાની હિલચાલ વચ્ચે નેશનલ સ્ટોક એકસચેંજે વ્યાજદરનાં ડેરીવેટીવ્ઝનાં સમયમાં વધારો જાહેર કર્યો છે. તા.23 ફેબ્રૂઆરીથી વ્યાજદર ડેરીવેટીવ્ઝમાં સાંજે 5 કલાક સુધી કામકાજ કરી શકાશે.
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 23 ફેબ્રુઆરી પછી એક્સપાયરી ડેટ ધરાવતાં તમામ વ્યાજદર ડેરીવેટીવ્ઝ કોન્ટ્રાકટમાં નવો સમય વધારો લાગુ પડશે. ફેબ્રુઆરી મહિનાનો વ્યાજદર ડેરીવેટીવ્ઝ કોન્ટ્રાકટ 23મીએ પૂર્ણ થવાનો છે અને તેમાં પણ આ નવો સમય લાગુ થશે. હવે પછીના નવા એકસપાયરી કોન્ટ્રાકટમાં પણ નવો સમય લાગુ પડશે.પરંતુ વર્તમાન અન્ય કોન્ટ્રાકટમાં કામકાજના સમયમાં કોઈ ફેરફાર થતો નથી. સીપી કોડ મોડિફિકેશનમાં કોઈ સમય ફેરફાર નથી અને સાંજે 5-30 સુધી યથાવત રહેશે.આજ રીતે ફાઈનલ સેટલમેન્ટ ભાવની ગણતરીમાં પણ વર્તમાન પદ્ધતિ યથાવત રહેશે.