ટેક્સટાઈલ અને ડાયમંડ સાથેનું સ્માર્ટ સિટી અત્યારે તેના રેલવે સ્ટેશન, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટથી ચર્ચામાં છે. હવે સુરત રેલવે સ્ટેશન પર સત્તાવાળાઓ વધુ ધ્યાન આપે તે યોગ્ય સમય છે. અત્યારે દર્શનાબેન જરદોષ રેલવે મંત્રી છે. તેમના નેતૃત્વમાં હાલ મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. અંકલેશ્વરથી ઉમરગામ અને ભૂસાવળથી હજીરા રેલવે તંત્રને એડમિનિસ્ટ્રેશન સરળ થાય એ માટે DRM ઓફિસ આપવી જોઈએ. વળી એ જાણવું અહીં જરૂરી છે કે, ઉદ્યોગોની આ ડિમાન્ડ આજની નહીં છેક 2012થી મુદ્દો ઉપસ્થિત થયો છે અને ત્યારથી એ હલતો નથી ત્યાંનો ત્યાં જ છે. ઉદ્યોગો ત્યારથી મુંબઈ અને દિલ્હી પર આધાર રાખે છે. વેપાર ઉદ્યોગને ખુબ ઓછો ફાયદો મળે છે. અત્યારે ડિમાન્ડ માટે રઝળવું પડે છે. ડીઆરએમ મુંબઈ પાસે જવું પડે છે. થોડા સમયથી રેલવે મંત્રી સુરત શહેરના સાંસદ હોવાનો ફાયદો મળી રહ્યો છે પરંતુ એ કેટલા સમય સુધી મળશે એ નક્કી નથી હોતું ત્યારે તેમણે સુરતને ડીઆરએમની ભેટ આપવી ઉદ્યોગ જગતના વ્યાપક હિતમાં છે.
સુરતથી લાખો લોકો દેશના વિવિધ સ્થળે અવર-જવર કરે છે. આ મુસાફરોમાં દક્ષિણ ભારતથી લઈને ઉત્તરપ્રદેશના કાપડના વેપારીઓ જ નહીં ઓરિસ્સા અને બિહાર, ઝારખંડના શ્રમિક વર્ગનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત ફ્રૂટના વેપારીઓ માટે પણ રેલવેની સુવિધાઓ ઘણી અંકે થઈ રહી છે. નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 માટે સુરતથી મુસાફરી કરતા મુસાફરોની આવક અનુક્રમે રૂ. 333 કરોડ અને રૂ. 353 કરોડ હતી આજે એ વધીને લગભગ બમણી થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. 1000 કરોડની આવક સાથે રેલવેને લગતાં પ્રશ્નો અને સમસ્યાઓ પણ વધે એ સ્વભાવિક છે.
કેન્દ્ર સરકાર સુરત રેલ્વે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) વિકસાવવા ઝડપભેર પ્રયત્નશીલ છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે વેસ્ટર્ન રેલવે (WR) એ શહેરમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) ઓફિસ બનાવવાનું વિચારવું જોઈએ જે વાપીથી અંકલેશ્વર અને ભુસાવળ સુધી સેવા આપી શકે. આ માટે એક લાંબા સમયથી લડત ચલાવી રહેલા આરટીઆઈ કાર્યકર અને સુરત રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ સિટીઝન ફોરમ (એસઆરએસડીસી) ના સભ્ય રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, “તમામ આવકની સરખામણી કરીએ તો પેસેન્જર ટિકિટોનું કલેક્શન, સુરતને વધુ સારી એકાગ્રતા અને સુવિધા વધારવા માટે તાત્કાલિક ધોરણે DRM ઓફિસ આપવી જોઈએ. આવકનો મોટો હિસ્સો ઉપનગરીય ટ્રેનોમાંથી આવે છે અને WR ના વિભાગીય રેલ્વે મેનેજરે ઉપનગરીય કામગીરીના સંચાલનમાં વધુ સમય ફાળવવો પડે છે.
સુરત રેલ્વે સ્ટેશન મુંબઈ સેન્ટ્રલની કુલ આવકમાં સિંહ ફાળો આપે છે. આવકનો મોટો હિસ્સો ઉપનગરીય ટ્રેનોમાંથી આવે છે અને WR ના વિભાગીય રેલવે મેનેજરને ઉપનગરીય કામગીરીના સંચાલનમાં વધુ સમય ફાળવવો પડે છે. આરટીઆઈ કાર્યકર્તા અને સુરત રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ સિટીઝન ફોરમ (એસઆરએસડીસી)ના સભ્ય રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, “પેસેન્જર ટિકિટના તમામ રેવન્યુ કલેક્શનની સરખામણી કરીએ તો, વધુ સારી એકાગ્રતા અને સુવિધા વધારવા માટે સુરતને તાત્કાલિક ધોરણે ડીઆરએમ ઓફિસ આપવી જોઈએ. સુરત રેલ્વે સ્ટેશન પર સત્તાધીશો વધુ ધ્યાન આપે તે યોગ્ય સમય છે.”