મુંબઈથી ચારધામ યાત્રા માટે આવેલા 18 વર્ષના યુવકનું ગંગોત્રી ધામથી પરત ફરતી વખતે અચાનક મોત થયું હતું. યુવકની ઓળખ 18 વર્ષના મંથન મનોજ કાસટ તરીકે થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય આ યુવક તેના માતા-પિતા અને ભાઈ સહિત 20 લોકો સાથે ગંગોત્રી ધામની યાત્રાએ આવ્યો હતો અને ગંગોત્રીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો કે કોપાંગ પાસે અચાનક યુવકની તબિયત બગડી અને તે બેહોશ થઈ ગયો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તબીબોના જણાવ્યા અનુસાર બ્રેઈન હેમરેજના કારણે યુવકનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે યુવક પહેલેથી જ બીમાર હતો.