મહાતીર્થ શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ બનાવવાને લઈને સુરત સહિત દેશભરના જૈન સમુદાયમાં નારાજગી છે. જેના વિરોધમાં સકલ જૈન સમાજ દ્વારા વિરોધ કરવા રણનિતી તૈયાર કરી રહ્યો છે. વિવિધ ધાર્મિક સભાઓના આયોજન કરી મુનિશ્રીઓ અને આચાર્યો આ બાબતે એક વિશાળ જનમત એકત્રિત કરી રહ્યા છે.
સુુરતના જૈન શ્રેષ્ઠીઓ પણ આ વિરોધમાં વિશેષ સક્રિય થઈ રહ્યા છે અને સુરત સાથે ગુજરાતમાંથી હાજર લોકોએ જૈન મહાતીર્થ સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળોની યાદીમાં સામેલ કરવા સામે હસ્તાક્ષર અભિયાન પણ શરૂ કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સમ્મેદ શિખરને પર્યટન વિસ્તાર જાહેર કરવાના વિરોધમાં જૈન સમુદાયના લોકો પહેલા જ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે રાજ્યપાલને આવેદનપત્ર આપી ચૂક્યા છે. દેશભરમાંથી શરૂ થયેલા વિરોધના વંટોળમાં આગામી દિવસોમાં કાર્યક્રમો તૈયાર કરવા વિવિધ જૈન સંઘો તેમજ સંગઠનો તરફથી તૈયારી થઈ રહી છે.