રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આજે 12માં દિવસમાંં પ્રવેશ્યું છે.રશિયન સેના સતત હુમલા કરી રહી છે. રશિયાએ યુક્રેનમાં તેના 95 ટકા સૈનિકો તૈનાત કર્યા છે. યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર તબાહી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે,યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પરત લાવવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીના દાવા અનુસાર, રશિયાએ ભયાનક તબાહી મચાવતાં 600 મિસાઈલો છોડી છે
UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું છે કે, સંઘર્ષ દરમિયાન ખાર્કિવ અને સુમી જેવા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેનમાં લડાઈ અટકાવવી જરૂરી છે.
બીજીતરઉ રશિયા પર યુદ્ધ અટકાવવાનું દબાણ વધારવામાં આવી રહ્યું છે. બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે ટ્વિટર પર લખ્યુ હતુ કે તેણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએસમાં તેના સહયોગીઓ સાથે મળીને ઇન્ટરપોલને રશિયન સભ્યપદ સ્થગિત કરવા અને ઇન્ટરપોલ સિસ્ટમની ઍક્સેસ આપવા વિનંતી કરી છે. રશિયાની કાર્યવાહી વ્યક્તિઓની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સહયોગ માટે સીધો ખતરો છે.
અહીં એ પણ જણાવવું મહત્વનું છે કે, યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા ભારતીય નાગરિક હરજોત સિંહ આજે ભારત પરત ફરી રહ્યા છે. હરજોત સિંહ પોલેન્ડ બોર્ડર થઈને સ્વદેશ પરત ફરશે.