રાહુલ ગાંધીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ફરી એકવાર ભારતમાં લોકશાહી ખતરામાં હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધી હાલ યુકેના પ્રવાસે છે અને તેમણે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું જે ચર્ચાનો વિષય બન્યો છે. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં ભારતમાં લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા આરોપ લગાવ્યો હતો કે તેમનો ફોન પેગાસસ સોફ્ટવેર દ્વારા સ્નૂપ કરવામાં આવી રહ્યો હતો અને ઈન્ટેલિજન્સ ઓફિસરે પોતે જ મને આ અંગે જાણ કરી હતી.
લંડન યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતમાં વિરોધ પક્ષોના નેતાઓને ઘણા મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને તેમને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. રાહુલે કહ્યું કે વિપક્ષો પર ખોટા કેસ નોંધવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું કે મારી સામે કોઈ પણ કારણ વગર ગુનાહિત કેસ નોંધવામાં આવી રહ્યા છે.
તેમના ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં લોકશાહી હાલમાં ખતરામાં છે અને દેશમાં મીડિયા અને લોકતાંત્રિક માળખું પર હુમલો થઈ રહ્યો છે, જેના કારણે લોકો સાથે વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.