અનેકવિધ ટેકસના બોજ તળે દબાયેલા નોકરીયાત ભારતીયોને વધુ એક ઝટકો લાગવાના ભણકારા છે. નોકરીયાત વર્ગના જમા પ્રોવીડન્ટ ફંડ પર મળતા વ્યાજને કરજાળમાં લેવાની હીલચાલ શરૂ થઈ છે. 1લી એપ્રિલથી નવા કરકાયદા હેઠળ ટેકસ વસુલાત થશે.
કેન્દ્ર સરકાર ગત વર્ષનાં ઓગસ્ટમાં જીપીએફના વ્યાજ પર ટેકસની ગણના કરવા આવકવેરા કાયદા 1962 માં સુધારો કર્યો હતો જે અંતર્ગત 2.50 લાખથી અધિકના કર્મચારી યોગદાનથી પીએફ આવક પર નવો ટેકસ લાગુ પડે છે.
read more: NIFT પરીક્ષાની આન્સર કી જાહેર થઈ, Nift.Ac.In પર આવી રીતે કરો ચેક
આ નવા નિયમથી નાના મધ્યમ વર્ગના કર્મચારીઓને કોઈ ફેર પડતો નથી. હવે મહેસુલ વિભાગ દ્વારા ગત 15 મી ફેબ્રુઆરીએ પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે,. તેમાં નાણા વર્ષ 2021-22 માં પાંચ લાખ રૂપિયાથી વધુ જીપીએફ ધરાવતા કર્મચારીઓને તેમાં મળેલા વ્યાજની માહિતી આપવા કહેવામાં આવ્યુ છે.પગાર તારીખ પૂર્વે જ માહિતી રજુ કરવાની સુચના છે. અર્થાત પગાર ભથ્થામાંથી ટેકસ કપાત કરી લેવામાં આવશે.
આવકવેરાના કાયદા 1962 ના નિયમ અંતર્ગત નાણાપ્રધાન નિર્મલા સીતારામને ખાનગી નોકરીયાતો માટે પીએફ ખાતામાં 2.50 લાખ સુધીનું યોગદાન ટેકસ ફ્રી રહેવાનુ બજેટમાં જાહેર કર્યું હતું. નવા આદેશ પ્રમાણે પાંચ લાખથી અધિકનું જીપીએફ યોગદાન કરનારા સરકારી કર્મચારીઓને વ્યાજ પર ટેકસ ચુકવવો પડશે.સરકારે ઈન્કમટેકસનાં 25 માં સુધારાને લાગુ કરી દીધો છે. જીપીએફમાં મહતમ ટેકસ ફ્રી યોગદાન પાંચ લાખનુ રહેશે. તેનાથી વધારાનાં યોગદાનમાં વ્યાજ આવક પર ટેકસ લાગશે.