ઉત્તર ભારતમાં રામનવમીના દિવસે શ્રી રામના જન્મોત્સવની ઉજવણી ભારે હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવશે.સુરતની તેલુગુ વાસીઓએ આ દિવસે રામસીતાના લગ્ન કરી કલ્યાણ મહોત્સવ તરીકે ઉજવણી કરશે.જ્યારે માતા-પિતા પોતાના દીકરા તેમજ દીકરીના લગ્ન કરે છે ત્યારે ખૂબ ધામધૂમ પૂર્વક કરે છે, લગ્ન સમયે જે રીતે મંડપ સજાવવાથી માંડીને રસોડાના જમણવારનું મેનુ કેવું હશે તેવી તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
![](https://gujaratbreaking.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-9.13.23-PM-461x1024.jpeg)
આવી તમામ તૈયારીઓ સાથે રામનવમીના રોજ તેલુગુ સમાજના લોકોએ રામસીતાના લગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવાના છે,તેલુગુ સમાજના લોકો રહેતા એવા વિવિધ વિસ્તારો જેવા કે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર, સહજાનંદ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ ભગ્યાનગર, બાલાજી નગર, સુડા સહકાર રેસીડેન્સી, સુમનગંગા, કલ્પના સોસાયટી, કૈલાશ નગર સોસાયટી,હનુમાન મંદિર મીઠિખાડી ના પ્રાંગણમાં કરવામાં આવશે.
![](https://gujaratbreaking.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-9.13.23-PM-1-576x1024.jpeg)
તેલુગુ સમાજના એક દંપતીએ શ્રી રામ અને સીતાની મૂર્તિને લઇ ફેરા ફરશે
લગ્નની તમામ વિધિઓ શ્રીરામ અને સીતાની મૂર્તિઓ સમક્ષ મંત્રોચ્ચાર કરી બ્રાહ્મણો લગ્ન કરાવ્યા બાદ શ્રીરામ અને સીતાની શોભાયાત્રા કાઢવામાં આવશે.લોકોએ ઠેર ઠેર સ્વાગત કરશે અને આરતી પાણી અર્પણ કરીને ધૂપ અને દીપ વડે સ્વાગત કરવામાં આવશે.સીતા-રામ કલ્યાણ મહોત્સવમાં ભાગ લેવા માટે સમાજના આગેવાનો શ્રી દાસરી શ્રીનિવાસ,પામુ વેણુ,રાપોલું બૂચ્ચીરામુલું, કુસુમા શ્રીનિવાસ, કોદુનુરી શ્રીનિવાસ,મોહન તાટીપામુલા,રાપોલુ કૃષ્ણા,કોંગા બિક્ષપતિ,એલગમ શ્રીનિવાસ,વેણુ મારા,ગુંડુ વિશ્વનાથમ,દાસરી સૂર્યનારાયણ, કોમટી શ્રીનિવાસ અને પ્રસાદ બુધારપુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.