ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ 7 મૃતકોમાં ત્રણ ગુજરાતની યુવતીઓ છે. ભાવનગરની 3 દીકરી ઉર્વી બારડ, કૃતિ બારડ અને પૂર્વા રામાનુજનું મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે.
ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ 7 મૃતકોમાં ત્રણ ગુજરાતની યુવતીઓ છે. ભાવનગરની 3 દીકરી ઉર્વી બારડ, કૃતિ બારડ અને પૂર્વા રામાનુજનું મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે.
કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારે હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોનાં મોત નિપજ્યા છે. જે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે તેમાં ત્રણ યુવતીઓ ભાવનગરની છે. જેમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો છે. ત્રીજી યુવતી 26 વર્ષની પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની છે.
કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે થયેલી દુર્ધટનાનો ભાવનગર વહીવટીતંત્રને મેસેજ મળતા નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને જાણ કરવામાં આવી.
ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ગઈ હતી. મંગળવારે, લગભગ 11:34 વાગ્યે, હેલિકોપ્ટર છ મુસાફરોને લઈને ગુપ્તકાશી (મસ્તા) માટે કેદારનાથથી ઉપડ્યું હતું. પરંતુ ગરુડચટ્ટી દેવદર્શિનીમાં સવારે 11.36 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું અને જમીન પર પડ્યું અને બળીને રાખ થઈ ગયું. આ અકસ્માતમાં પાયલોટ સહિત તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.