યુક્રેનમાં ભારતનું સ્થળાંતર ઓપરેશન ગુરુવારે સમાપ્ત થશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સલામત ઘર વાપસી માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું, જેમાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવ્યા છે.
યુક્રેનથી સરકારી ટીમો પરત આવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને ઓપરેશન ગંગા હેઠળની છેલ્લી ફ્લાઈટ્સ આવતીકાલે સાંજ સુધીમાં ઓપરેટ કરવામાં આવશે.
read more: ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું- રાજ્યમાં લગભગ 3.64 લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર
ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, સરકારે લગભગ 18,000 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. સુમીમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓની છેલ્લી બેચ પશ્ચિમ યુક્રેન જઈ રહી છે. તેમના આગમન પછી, એક છેલ્લી ફ્લાઇટ ભારત જશે.
75 વિશેષ નાગરિક ફ્લાઇટ દ્વારા એરલિફ્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 15,521 છે. આ ઉપરાંત, ભારતીય વાયુસેનાએ ઓપરેશન ગંગાના ભાગ રૂપે 2,467 મુસાફરો અને 32 ટનથી વધુ રાહત સામગ્રીને પરત લાવવા માટે 12 ફ્લાઇટ્સ રવાના કરી હતી.