પાટીદાર સમાજ માટે અનામતનો લાભ શોધવામાં ભાજપ અને કોંગ્રેસમાં ગૂંલાટ મારી પોતાની જગ્યા શોધવામાં નિષ્ફળ નેતા હાર્દિક પટેલે હવે કોંગ્રેસમાથી રાજીનામું આપી દીધું છું. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે હવે તેમને રાજીનામું ધરી દેતાં ચર્ચાનો અંત આવ્યો છે. જોકે હવાતિયાં માર્યા બાદ રાજકારણમાં ક્યાંય દાળ ગળતી ન જણાતાં હાર્દિકે પોતાનો જનાધાર સમાજમાંથી પણ ગુમાવી દીધો છે. ભાજપ પણ હવે આ નેતાને કોઈ કોઠું આપે એવી શક્યતા નથી દેખાતી. ઉલ્લેખનીય છે કે. ભાજપ ચિંતન શિબિરમાં હાર્દિકના નબળા જોર પર ચર્ચા કરી ચૂકી છે.
હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.
નોંધનીય છે કે, અગાઉ હાર્દિક પટેલે તે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કરી દીધી હતી. તેમજ કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવાતાં અંતે આજે રાજીનામું ધરી દીધું છે.હાર્દિકે જે સમયે આ પગલું ભર્યું છે એ જોતાં ગુજરાતના મોટા ભાગના રાજકીય વિશ્લેષકો તેને રાજકીય કારકીર્દી માટે આત્મઘાતી માની રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એ રીતે મન મક્કમ બનાવી ચૂકી છે કે. હાર્દિક પટેલ તેનો જનાધાર ગુમાવી ચૂક્યો છે, એટલે કે તેનું એવું વજન નથી રહ્યું કે રાજકીય અસર ઊભી કરી શકે,