કેવડીયામાં સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા ગ્રીન કોરીડોર તૈયાર થશે. આ સમગ્ર વિસ્તારને પ્રદુષણથી બચાવવા રેલવેનાં એકતાનગર સ્ટેશન પર 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે.
read more: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત સમુહ લગ્નોત્સવમાં ૧૨૨ યુગલો જોડાયા
એકતાનગર રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ 6 કિલોમીટર દુર છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વીક એન્ડ કે રજાના દિવસોમાં લગભગ 30 થી 40 હજાર લોકો આવે છે.આ ઉપરાંત અહીં આદિવાસી કલાને પુરી દુનિયા સુધી પહોંચાડવા એક આર્ટ ગેલેરી બનશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા લોકો તેમના માટે સંભારણું પણ ખરીદી શકશે.
વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં એકતાનગર રેલવે સ્ટેશનની 10,500 વર્ગ મીટરના પાર્કીંગમાં 51 ઈલેકટ્રીક વાહન ચાર્જીંગ બનાવવામાં આવશે.