ઓપરેશનલ સમસ્યાઓને ટાંકીને હવે, GoFirst એ 28 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને પેમેન્ટના મોડ પ્રમાણે જલ્દી રિફંડ આપવામાં આવશે. કંપની દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે જાણીએ છીએ કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી લોકોની ટ્રાવેલ પ્લાન પર અસર પડે છે. અમે અમારા તરફથી લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં ફરી એકવાર બુકિંગ પ્રક્રિયા શરૂ કરીશું.
અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કટોકટીગ્રસ્ત GoFirstને તેની કામગીરીના પુનરુત્થાન માટે એક વ્યાપક યોજના સબમિટ કરવા જણાવ્યું હતું. રેગ્યુલેટરે આ માટે એરલાઈન્સને 30 દિવસનો સમય આપ્યો છે. કંપનીએ 3 મેના રોજ ફ્લાઈટ બંધ કરી દીધી હતી. એક સૂત્રએ આ માહિતી આપી હતી.
રેગ્યુલેટરના એક સૂત્રએ જણાવ્યું હતું કે નિયમનકારે 24 મેના રોજ એરલાઇનને સલાહ આપી છે કે તે કામગીરીના ટકાઉ પુનરુત્થાન માટે ત્રીસ દિવસના સમયગાળાની અંદર એક વ્યાપક પુનરુત્થાન યોજના સબમિટ કરે. સૂત્રએ જણાવ્યું હતું કે નિયમનકારે એરલાઇનને ઓપરેશનલ એરક્રાફ્ટની વિગતો, પાઇલોટ્સ અને અન્ય કર્મચારીઓની ઉપલબ્ધતા, જાળવણી વ્યવસ્થા અને ભંડોળની સ્થિતિ અને અન્ય વિગતો આપવા જણાવ્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે GoFirst દ્વારા સબમિટ કરવામાં આવેલી રિવાઇવલ પ્લાનની વધુ યોગ્ય કાર્યવાહી માટે DGCA દ્વારા સમીક્ષા કરવામાં આવશે.