ચૈત્રી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેથી, આ દિવસો સુધી જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તે વધુ સારું રહેશે. આ વખતે નવરાત્રિ 22મી માર્ચથી શરૂ થશે. સાથે જ, જો તમે આ દિવસો દરમિયાન વાહન અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવા માંગો છો, તો આ 9 દિવસોમાં કેટલાક ખૂબ જ શુભ સમય હશે. તે દરમિયાન તમે ખરીદી કરી શકો છો.
ચૈત્ર નવરાત્રીની ખરીદી માટેનો શુભ મૂહુર્ત
આમ, ચૈત્રને ખરમાસ માનીને ઘણા લોકો આ મહિનામાં શુભ કાર્ય કરતા નથી. એ કારણસર ઘણાં લોકો આ મહિનામાં વાહન પણ નથી ખરીદતા. પરંતુ જો તમે નવરાત્રિના શુભ દિવસોમાં વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલાક મૂહુર્ત એવા છે જેમાં તમે વાહન ખરીદી શકો છો.
27મી માર્ચે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ થશે. રોહિણી નક્ષત્રની અસર રહેશે. આ દિવસે આયુષ્માન યોગ પણ પ્રબળ રહેશે અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં વાહન ખરીદવું સુખદ રહેશે.
30મીએ સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે અમૃત સિદ્ધિ યોગ થશે. આ દિવસે રામ નવમીનો પવિત્ર સંયોગ પણ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે.
24 માર્ચે સવારે 1:22 થી રવિયોગ અશ્વિની નક્ષત્રમાં રહેશે, ચંદ્ર મેષ રાશિમાં રહેશે, આ દિવસે વાહન ખરીદવું શુભ રહેશે.
ગુરુ પુષ્ય યોગ પણ 30 માર્ચે રાત્રે 11:59 થી શરૂ થઈને 31 માર્ચના સૂર્યોદય સુધી રહેશે. આ યોગમાં કોઈપણ વસ્તુ ખરીદવી શુભ રહેશે.