હરિદ્વારની ધર્મ સંસદમાં આપેલા નિવેદનો બાબતે અગાઉ ઘણો વિવાદ થયો હતો. આ કેસમાં વસીમ રિઝવી ઉર્મ જિતેન્દ્ર ત્યાગીની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે આવી ધાર્મિક સંસદોનું આયોજન કરવું એ હિન્દુત્વની વિચારધારાથી અલગ છે. તેને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી. ભાગવતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
તેઓ ‘હિંદુત્વ અને રાષ્ટ્રીય એકતા’ વિષય પર ભાષણ આપી રહ્યા હતા.
નાગપુરમાં એક અખબારના 50 વર્ષ પૂરા થવા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવતે કહ્યું, ‘હિંદુત્વ કોઈ મુદ્દો નથી. રામાયણ અને મહાભારતમાં ક્યાંય હિંદુ લખાયેલું નથી. હિંંદુ શબ્દનો ઉલ્લેખ ગુરુ નાનક દેવે કર્યો હતો. તે ખૂબ જ લચીલું છે અને અનુભવ સાથે બદલાય છે.
read more: કેનેડાના મંદિરોમાં આતંક, તોડફોડ અને લૂંટફાટથી દહેશતનો માહોલ
તેમણે કહ્યું કે અંગત લાભ કે દુશ્મની માટે કોઈપણ નિવેદન કરવું એ હિન્દુત્વ નથી. આરએસએસના વડાએ કહ્યું, ‘આરએસએસ અથવા જેઓ ખરેખર હિંદુત્વમાં વિશ્વાસ રાખે છે તેઓ તેના બગડેલા અર્થો પર ધ્યાન આપતા નથી. તેઓ સમાજમાં સંતુલન બનાવવા માટે વિચારે છે અને કાર્ય કરે છે.
જણાવી દઈએ કે હરિદ્વારની ધર્મ સંસદનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 17 થી 19 ડિસેમ્બરનો છે. આવો જ એક કાર્યક્રમ છત્તીસગઢના રાયપુરમાં 26 ડિસેમ્બરે યોજાયો હતો. અહીં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિરુદ્ધ ભાષણ આપ્યું હતું.