અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. રવિવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થતાં જ લોકો માતાજીની ભક્તિમાં લીન થશે.. 15 થી 23 ઓક્ટોબર દરમિયાન આ નવ દિવસોમા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. સનાતન ધર્મમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. જોકે, આ નવરાત્રિના 9 દિવસોમાં શુભ સમય જોવાની જરૂર નથી. લગભગ 400 વર્ષમાં પ્રથમ વખત નવરાત્રિ દરમિયાન એક સાથે નવ શુભ યોગો રચાઈ રહ્યા છે. તમારે શુભ કાર્ય માટે દશેરાની રાહ જોવાની પણ જરૂર નથી.
15 ઓક્ટોબર- આ દિવસે પદ્મ અને બુધાદિત્ય યોગ છે. ચિત્રા નક્ષત્રના કારણે આ દિવસ ખરીદી માટે શુભ રહેશે.
16 ઓક્ટોબર- આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને ભદ્રા તિથિનો સંયોગ છે. મોબાઈલ અને લેપટોપ ખરીદવા માટે આ દિવસ શુભ છે.
17 ઓક્ટોબર- નવરાત્રીના ત્રીજા દિવસે આયુષ્માન અને શ્રીવાસ્ત યોગ છે. આ દિવસે ઈલેક્ટ્રોનિક સામન ખરીદવો યોગ્ય રહેશે.
18 ઓક્ટોબર- સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિના કારણે આ દિવસ કાર ખરીદવા માટે શુભ છે.
19 ઓક્ટોબર- આ દિવસ જ્યેષ્ઠ નક્ષત્ર અને પૂર્ણ તિથિનો યોગ છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદવી ફાયદાકારક રહેશે.
20 ઓક્ટોબર- આ દિવસે ષષ્ઠીથી અને મૂળ નક્ષત્રનો રવિ યોગ છે. પ્રોપર્ટી અને મશીનરી પાર્ટસ ખરીદવા માટે આ સારો દિવસ છે.
21મી ઓક્ટોબર- આ દિવસે ત્રિપુષ્કર યોગ રહેશે. રોકાણ અને નવી શરૂઆતથી લાભ મળશે.
22 ઓક્ટોબર- આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આ દિવસ નિર્માણ કાર્ય માટે ખૂબ જ શુભ છે.
23 ઓક્ટોબર- નવમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ છે. જાતકો કોઈપણ વસ્તુ ખરીદી શકે છે.