આવકવેરા વિભાગમાં દેશવ્યાપી બદલી-બઢતીના જબરદસ્ત દૌરથી હલચલ વ્યાપી ગઈ છે. 400થી વધુ ઉચ્ચ અધિકારીઓના બદલી અને પ્રમોશનના ઓર્ડર નીકળતા આ વિભાગમાં મોટેપાયે ફેરફારો થયા છે. બદલીના આ દૌરમાં ગુજરાતના પણ 30 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે આજે ચીફ કમિશનર તથા પ્રિન્સીપાલ કમિશનર કક્ષાએ પ્રમોશનના ઓર્ડર કર્યા છે. આ સાથે જ ડેપ્યુટી અને એડીશનલ કમિશનરના ટ્રાન્સફર ઓર્ડર પણ થયા છે. ડેપ્યુટી અને એડીશનલ કમિશનર કક્ષાનાં 324 અધિકારીઓની બદલી થઈ છે. આ ઓર્ડરમાં સુરત સહિત ગુજરાતનાં 31 અધિકારીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાંથી રવિશ ભટ્ટ, પ્રશાંતકુમાર જૈન, ધર્મેન્દ્ર પુનિતા, વૈભવ અગ્રવાલ, વેદાંશુ ત્રિપાઠી, સીતારામ મીના, અનુપમા સીંગલા, આદીત્ય શુક્લા, પલ્લવી, રામપ્રકાશ રસ્તોગી, પ્રેમપ્રકાશ મીના, વિમલકુમાર મીના, પી.એસ. ભલ્લા, મધુરા નાયક, દિનેશ સિંગ, એન. દાસગુપ્તા, જ્યોતિ શાહ, રમેશ સાધુ, એમ.એમ. ગર્ગ, સત્યસુંદર રાઠી, રાજેશ મકવાણા, નિહાર રંજન સામલ, સુધીક્ષા રાની, ચેતન કાચા, સજીતકુમાર શ્રીવાસ્તવ, કિસ્મત બુધ્ધિરાજા, નયનાકુમાર, જેઠાનંદ ભાટીયા, રુપાવતી કલ્પેશકુમાર, કૃષ્ણકુમાર આત્મારામનો સમાવેશ થાય છે.
દેશભરના 59 અધિકારીઓને પ્રિન્સીપાલ કમિશનર તરીકે પ્રમોશન મળ્યા છે અને 17 અધિકારીઓને ચીફ કમિશનરના પ્રમોશન આપવામાં આવ્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં પણ સંખ્યાબંધ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. જેઓ ગુજરાતમાં હાજર થયા બાદ પ્રિન્સીપાલ ચિફ કમિશનર આગામી સમયમાં જુદી જુદી રેન્જમાં ફાળવણી કરશે.