ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા હવે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં જુવાનીયાઓના હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. વિતેલા 24 કલાકમાં જ હાર્ટએટેકથી મોતની ત્રણ-ત્રણ ઘટનાઓ સામે આવી છે. મોરબી અને સુરત બાદ હવે રાજકોટમાં હાર્ટએટેકથી નાની ઉંમરે યુવકે જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મવડી વિસ્તારમાં સરદારનગર પટેલ બોર્ડિંગ નજીક રહેતા રાજેશભાઈનો પુત્ર 19 વર્ષીય આદર્શ સાવલિયા ગઈકાલે લપસી જતાં બાથરૂમમાં પડી ગયો હતો. પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોનું કહેવું છે કે, આદર્શનું મૃત્યુ હાર્ટએટેકથી થયું છે. આદર્શના પિતા રાજેશભાઈ કારખાનેદાર છે. આદર્શ તેમનો એકનો એક પુત્ર હતો.
તમને જણાવી દઈએ કે, આ અગાઉ સુરતના ખટોદરા વિસ્તારમાં ભત્રીજા સાથે બાઈક પર જઈ રહેલા રાજસ્થાનના યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તેઓ બાઈક પરથી ફસડાઈ પડ્યા હતા. આ કિસ્સામાં પણ તબીબોનું નિદાન છે કે તેમનું મોત મોત હાર્ટએટેકના કારણે થયું છે. એ ઉપરાંત પણ એક અન્ય કિસ્સામાં મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં કારખાનના ચોકીદારને દરવાજો ખોલતા સમયે હાર્ટએટેક આવ્યો હતો અને 43 વર્ષીય આ યુવકનું ત્યાં જ મોત થયું હતું.
આ અગાઉ પણ અનેક યુવકો નજીકના સમયમાં જ હાર્ટએટેકને કારણે મોત પામી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ ઘટનાક્રમો પર નજર રાખી રહી છે અને તેના કારણોની આરોગ્ય નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવી ઊચ્ચ સ્તરીય તપાસ કરી રહી છે. બદલાતું તાપમાન કે કોરોનાની દવાઓની આડઅસર અથવા કોઈ અન્ય પરિબળો જુવાનજોધ લોકોના આ રીતે ભોગ લઈ રહ્યા છે એ કહેવું હાલ ઉતાવળભર્યું માનવામાં આવે છે,