રાજસ્થાનના બેરોજગાર યુવાનો તેમની 21 મુદ્દાની માંગણીઓ માટે ગુજરાતમાં સંઘર્ષ કરી રહ્યા છે. બેરોજગાર યુવાનોએ હવે કોંગ્રેસના નેતાઓની જાહેરસભાઓનો વિરોધ કરવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. રાજસ્થાન ફેડરેશનના પ્રદેશ અધ્યક્ષ ઉપેન યાદવે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો વિરોધ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સીએમ ગેહલોત ગુજરાતના વરિષ્ઠ નિરીક્ષક હોવાની સાથે સ્ટાર પ્રચારક પણ છે. સીએમ ગેહલોત 17 અને 18 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે હોઈ શકે છે. ઉપેન યાદવે કહ્યું કે સીએમ ગેહલોત સહિત રાજસ્થાનના મંત્રીઓની જાહેર સભાઓનો વિરોધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગેહલોતના મંત્રી અને ધારાસભ્ય તરીકે 23 નિરીક્ષકો બનાવવામાં આવ્યા છે.
સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહેલા બેરોજગાર યુનિફાઇડ ફેડરેશનના ઉપેન યાદવે જણાવ્યું હતું કે છેલ્લા 14 દિવસથી બેરોજગાર યુવાનોની વિવિધ માંગણીઓ માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. પ્રથમ દાંડી યાત્રા ત્યાર બાદ અમદાવાદમાં મહાપડાવની પણ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે દરકાર પણ લીધી નથી. પરંતુ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનના અનેક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મંત્રીઓની બેઠકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
રાજસ્થાન બેરોજગાર યુનિફાઇડ ફેડરેશનના પ્રદેશ અધ્યક્ષ ઉપેન યાદવ પોતાની 21 મુદ્દાની માંગણીઓ માટે સત્યાગ્રહ કરી રહ્યા છે. 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી તેમણે અમદાવાદ કોંગ્રેસના મુખ્યાલય સામે ધરણા કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા બાદ, તેમની માંગણીઓ માટે અન્ય સ્થળે તેમનો સત્યાગ્રહ ચાલુ છે.