ઉત્તરાયણને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.મોટા ભાગના લોકોએ ઉતરાયણની તૈયારી કરી લીધી છે.ત્યારે આ વખતે પતંગ રસીયાઓ માટે આનંદના સમાચાર છે. કારણ કે, ઉતરાયણના પર્વ નિમિતે.પતંગ ચગવા માટે અનુકુળ પવન રહેશે છેલ્લા કેટલાક વર્ષોથી 14 જાન્યુઆરી એટલે ઉતરાયણના દિવસે પવનની ગતિ ખૂબજ ધીમી હોય છે.ઉત્તરાયણના અનુસંધાને રાજ્યમાં કેવું હશે વાતાવરણ આ અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમામ સૂકું રહેશે. જ્યારે નલિયામાં 6.4 , અમદાવાદ 16.5 અને ગાંધીનગર 13.4 તાપમાન નોંધાયું છે.
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે.
ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે.
15મી જાન્યુઆરીના દિવસે પવન કેવો રહેશે?
વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.
ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગરસિયાઓ માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને વાસી ઉતરાયણમાં પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણ પર 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાડો થઇ શકે છે.