હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા બે દિવસથી રાજકારણ ખૂબ જ ગરમ થવાનું છે. પરંતુ આ દરમિયાન હવે કાંગડામાં રેલી માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાફલાને એમ્બ્યુલન્સ માટે રોકી તેમની સંવેદનશીલતા દર્શાવી હતી. અગાઉ તેમણે ગુજરાતમાં પણ તેમના કાફલાને રોકી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હોવાની ઘટના ટોક ઓફ ધ નેશન બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય હિમાચલ પ્રદેશને સ્થિર સરકાર આપી શકે નહીં. પીએમ મોદીએ ચંબીમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને થોડો સમય રોક્યો હતો. પીએમના આ સંવેદનશીલ પગલાની પ્રશંસા થઈ રહી છે.