બુધવારે મળસ્કે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મળસ્કે 3 વાગે મંદિરના દરવાજા ખુલ્યા. આ પછી ભસ્મ આરતીમાં સૌપ્રથમ ભગવાન મહાકાલને વિશાળ રાખડી બાંધવામાં આવી હતી. ભગવાનને 1.25 લાખ લાડુનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભગવાન મહાકાલને 1.25 લાખ લાડુ ચઢાવવાની પરંપરા છે. આ વખતે પણ પૂજારી પરિવાર દ્વારા ભક્તોના સહયોગથી ભગવાનને મહાભોગ અર્પણ કરવામાં આવ્યો. પૂજારી પરિવારની મહિલાઓ જ ભગવાનને રાખડી બાંધે છે.
પંડિતો કહે છે કે જે ભક્તો સાવનનો આખો મહિનો ઉપવાસ રાખે છે, તેઓ રક્ષાબંધનના દિવસે ભગવાન મહાકાલના લાડુની પ્રસાદી લઈને ઉપવાસ તોડે છે. તેથી જ આખો દિવસ ભક્તોને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે.
પરંપરા મુજબ, ભસ્મ આરતી કરતા પૂજારીના પરિવાર દ્વારા 1.25 લાખ લાડુ ચઢાવવામાં આવે છે. તેથી જ આ વખતે પં.પ્રદીપ ગુરુના પરિવાર દ્વારા ભક્તોના સહકારથી મહાભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો.