GST ની અમલવારી થયાને ખાસ્સો સમય વિતી જવા છતાંય તેમાં સતત અપડેશન થવાના કારણે GSTમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નવા અપડેટ્સથી વેપારી-મહાજનો અને ઉદ્યોગપતિઓ સારી રીતે સમજ કેળવી શકે, તેમની શંકાઓનું સમાધાન થાય અને આંટીઘૂંટીઓનો ઉકેલ મળે એ હેતુથી વિવિધ સ્તરે સેમિનાર જેવા આયોજન થઈ રહ્યા છે.
આ કડીમાં DGTS અમદાવાદ, NACIN વડોદરા અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર વેબીનારનું આયોજન થયું હતું. વેબીનારમાં ખૂબ મોટી સંખ્યામાં જીએસટી કરદાતાઓ જોડાયા હતા. વેબીનારમાં જયપુરના ચીફ કમિશનર જીએસટી જોડાયા હતા અને તેમણે કરદાતાઓના પ્રશ્નોને સાંભળી તેનું યોગ્ય નિવારણ આપવા સરાહનીય પ્રયાસ કર્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડાઈરેક્ટ ટેક્સિસ દિલ્હીના એક્સપર્ટ ફેકલ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેબીનારમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના કરદાતાઓ જોડાયા હતા અને અત્યંત વિગતવાર ચર્ચા થઈ હતી. તેમાં GST કરદાતાઓને મોટા ભાગે ઇ-વે બિલ બાબતે વિવિધ પ્રશ્નો ઉદભવીત થઈ રહ્યા છે. વેબીનારનું સફળ આયોજન પ્રિન્સિપલ એડિશનલ ડી.જી અમદાવાદ કુમાર સંતોષ દ્વારા કરવામાં આવ્યું હતું