ફાગણ માસનું પ્રદોષ વ્રત 15 માર્ચ મંગળવારે છે. મંગળવારે આવતા પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે. પ્રદોષ વ્રત દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની તેરસ પર મનાવાય છે. માર્ચ મહિનાનું આ પ્રથમ પ્રદોષ વ્રત છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. તેથી, આ દિવસે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા છે. પ્રદોષ વ્રતના દિવસે શિવ મંત્રોના જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મહાદેવની કૃપાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને તેમની પ્રિય વસ્તુઓ જેમ કે ભાંગ, બિલીપત્ર, ગંગાજળ, સફેદ ચંદન, સફેદ ફૂલ વગેરે અર્પણ કરવું શુભ હોય છે.
તેરસ તિથિ 15 માર્ચ, મંગળવારે બપોરે 01.12 વાગ્યાથી શરૂ થશે, જે 16 માર્ચ, બુધવારે બપોરે 01.39 વાગ્યા સુધી ચાલુ રહેશે.
પ્રદોષ કાળમાં ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. પ્રદોષ કાળ 15 માર્ચે સાંજે 06.29 થી 08.53 સુધી ચાલશે.
ભૌમ પ્રદોષ વ્રતના ફાયદા-
- ભૌમ પ્રદોષ વ્રત રાખવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરી રહેલા લોકો માટે ભૌમ પ્રદોષ વ્રત ફાયદાકારક માનવામાં આવે છે.
- પ્રદોષ વ્રતનું પાલન કરવાથી સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે. નાણાકીય લાભના યોગમાં વધારો થાય. તે દેવાથી મુક્ત થાય છે.
- સંતાન પ્રાપ્તિ માટે પણ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીએ પ્રદોષ વ્રત રાખવું જોઈએ.