ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી 4 નવેમ્બર, શુક્રવાર દેવઉઠની એકાદશીના રોજ યોગ નિંદ્રામાંથી જાગી જશે. ચાતુર્માસ સમાપ્ત થશે. શુભ કાર્યો પણ શરૂ થશે. આ દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહનું આયોજન કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષવિદ્ ધ્યાનગુરુ દિવ્યાંગ ભટ્ટ (9979856524)ના જણાવ્યા મુજબ, આ વખતે દેવઉઠની એકાદશી પર બુધના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે.
લગ્ન, મુંડન, મકાન નિર્માણ-પ્રવેશ, નવા વેપાર જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. એકાદશી તિથિ 3જી નવેમ્બરે સાંજે 7ઃ28 વાગ્યાથી 4 નવેમ્બરે સાંજે 6ઃ08 વાગ્યા સુધી રહેશે.
પૂજા પદ્ધતિ
સવારે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ ચઢાવો. ઘરના મંદિરમાં પીળું કપડું રાખો અને તેના પર મૂર્તિ અથવા સ્વસ્તિક સ્થાપિત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભોગ ચઢાવીને આરતી કરો. સાંજે દીવો પ્રગટાવી આરતી કરો અને યોગ નિંદ્રામાંથી બહાર આવવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો.
શુભ સમય
- સવારે 6:35 થી 10:42 સુધી લાભ-અગ્રિમ મુહૂર્ત
- સવારે 9:20 થી 10:42 સુધી અમૃત મુહૂર્ત
ભગવાન વિષ્ણુ જાગરણ મુહૂર્ત સાંજે 5:00 થી 6:08 સુધી