ઉત્તરપ્રદેશ-પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામોના બરાબર બીજા જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક તા. 11 થી 13 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વાર્ષિક સભા મળી રહી છે. સૌથી મહત્વની ગણાતી આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. સંઘની આ બેઠકમાં સંઘના આગામી વર્ષના કાર્યક્રમ તથા આયોજનને આ બેઠકમાં મંજુરી અપાતી હોય છે. ગત વર્ષે અત્યંત મર્યાદિત રીતે અને પ્રાંત અધિકારીઓની ઓનલાઈન હાજરીથી આ બેઠક મળી હતી.
ત્રિમંદિર અમદાવાદ ખાતે આયોજીત આ બેઠકમાં ભાજપમાં આરએસએસના પ્રતિનિધિ તથા સંઘના સંકલનની જવાબદારી નિભાવતાં આરએસએસના વડા મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોશબોલે, સરસહકાર્યવાહ કૃષ્ણગોપાલ, મનમોહન વૈદ્ય, રામદત્ત, અરુણ કુમાર ઉપરાંત ગુજરાત સહિતનાં દેશભરના આરએસએસના હોદેદારો હાજર રહેશે.
બેઠકના એજન્ડા અંગે હાલ કોઈ કયાસ કાઢવો મુશ્કેલ છે પરંતુ ઉત્તરપ્રદેશના પરિણામો અને તેના પરથી ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી ચૂંટણી સહિત દેશની ભાવિ રાજકીય રણનિતી મહાચર્ચાનો વિષય ચોક્કસ જ રહી શકે છે. બેઠકના એક દિવસ પૂર્વે જ ઉત્તરપ્રદેશના પરિણામો જાહેર થઈ રહ્યા છે એ અત્રે ઉલ્લેખનીય છે.
અહીં એ નોંધવું પણ અગત્યનું છે કે, તા. 11મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જ ઉપસ્થિતિ છે. જોકે આ બેઠકનો તેઓ હિસ્સો બનશે કે કેમ એ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી. સંઘની આ બેઠકમાં અનેક મહત્વના પ્રસ્તાવો પણ પસાર થઈ શકે છે પરંતુ એ હાલ અંગે પણ કોઈ ખુલાસો કરવા તૈયાર નથી. આ બેઠક ભાજપની ભાવિ દિશા નક્કી કરતી સાબિત થશે એ દ્રષ્ટીએ બેઠકનું મહત્વ વધી જાય છે.