ગુજરાતમાં આજે ચૂંટણીની જાહેરાત થતાં જ હવે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી બનશે. આજથી ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના નિરીક્ષકો સાથે ચૂંટણી સમિતિની સંકલન બેઠકમાં દાવેદારોની યાદી પર વિચારણા કરાશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં હાજરી આપી શકે છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરી તો સ્વભાવિક છે જ સાથે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સહ પ્રભારી સુધીર ગુપ્તા સહિતના કેન્દ્રીય નેતાઓ પણ આજે ગાંધીનગર પહોંચી ગયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 52 બેઠકો માટે 1163 બાયોડેટા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતમાંથી સૌથી ઓછા 725 બાયોડેટા મળ્યા છે અને તેના પર આગામી બે દિવસમાં વિચારણા થશે તેવા સંકેત છે. સુરત સહિત મહાનગરોના ઉમેદવારો અંગે પેનલ બનશે અને તે માટે જિલ્લા અને મહાનગરના ટોચના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા છે.
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ટિકિટના મામલે ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે. આજે મળનારી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની મોટી બેઠકમાં ચોંકાવનારા નિર્ણયોની કહાણી લખાવાની શરૂઆત થઈ શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવી અને કેટલાને રિપીટ કરવી તે આ બેઠકમાં નક્કી થવાનું છે.
બીજી તરફ કોંગ્રેસમાં 98 જેટલા ઉમેદવારો નિશ્ચિત થઇ ગયા છે પરંતુ આજના ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત જોયા બાદ કોંગ્રેસ પક્ષ આ નામોની જાહેરાત કરશે. ખાસ કરીને કોંગ્રેસને પક્ષમાં અસંતુષ્ટોના બળવા તેમજ ઉમેદવારોના હાઇજેક થવા સહિતના અનેક ભય અને તેથી તે ધીમા પગલે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીએ 100 જેટલી બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. છતાંય મહત્વની બેઠકો જાહેર કરવામાં એ પણ સાવચેતી વર્તી રહી છે. બીજા પક્ષોના ઉમેદવારો કોણ છે એ જાણવાની કોશિષ બાદ રણનીતિ બદલવા સહિતના મૂડમાં છે.
આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં તેના મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે તેની જાહેરાત કરનાર છે અને તેમાં હાલની સ્થિતિમાં રાષ્ટ્રીય મહામંત્રી ઇશુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુના નામની ચર્ચા છે. કોંગ્રેસ પક્ષ મુખ્યમંત્રીના નામની જાહેરાત વગર જ ચૂંટણી લડવા જઇ રહી છે જ્યારે ભાજપે અગાઉ જ જાહેર કર્યું છે કે તેની નવી સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હ