વિશ્વના અન્ય દેશોને પાછળ છોડીને ભારત દેશ મોતીના ઉત્પાદનમાં અગ્રેસર બની રહ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ મોતીની ખેતી માટેના ઘણા પ્રશિક્ષણ શિબિરો શરૂ થયા છે. આ શિબિરોમાં તાલીમ લઈને, અસંખ્ય લોકોએ મોતીનું ઉત્પાદન શરૂ કરીને તેમની ખરીદ શક્તિને મજબૂત બનાવી છે. મોતીના મોટા બજારમાં સમાવિષ્ટ થયેલા મુંબઈ, સુરત, ભોપાલ ઉપરાંત અન્ય અનેક દેશોમાં નિકાસ શરૂ થઈ ગઈ છે. આ ખેતીના પ્રોગ્રેસિવ અને જબરદસ્ત ક્રિએટિવ ખેડુતોની દક્ષિણ ગુજરાતમાં પણ કમી નથી પરંતુ કમનસીબી છે કે, એ ખેડુતોને સરકાર તરફથી પ્રોત્સાહન નથી મળી રહ્યું.
રાષ્ટ્રીય સ્તરે મોતી ઉત્પાદકનો એવોર્ડ જીતી ચૂકેલા અહેમદનગરના અશોક મનવાણીના જણાવ્યા અનુસાર, આ ખેતી માટે દરિયાકિનારા પરથી સેપિયા સરળતાથી સસ્તામાં ખરીદી શકાય છે અને આ ખેતી નાના પાયે તેમજ મોટા પાયે કરી શકાય છે.
પર્લ એક્વાકલ્ચર વિજ્ઞાની ડૉ.અજય સોનકરના જણાવ્યા અનુસાર, આપણા દેશમાં છીપની દુર્લભ પ્રજાતિઓ છે. પિંક ટાડા માર્ગારીટીફેરા, પિંક ટાડા મેક્સિમા અને ટેરિયા પેંગ્વિન જેવી દુર્લભ પ્રજાતિઓ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. ભારતે મોતીના ઉત્પાદનમાં વિશ્વનો અગ્રણી દેશ બનવો જોઈએ, જેના માટે તે કુદરતી લાયક છે. અશક્ય ગણાતા 22 મીમી સાઈઝનું કાળું મોતી બનાવીને જાપાન સહિત વિશ્વના તમામ મોતી ઉત્પાદક દેશોને ચોંકાવી દીધા છે.
નવસારી જિલ્લાના એક અભ્યાસુ ખેડુત વસનજીભાઈ ખેતીની સમસ્ત પ્રોસેસ સમજાવતાં કહે છે કે, મોતીની ખેતી એ એક્વાકલ્ચર બિઝનેસનો એક ભાગ છે. આ માછલી ઉછેર સાથે જોડીને કરી શકાય છે. ખેતી માટે, ખેડૂતે પહેલા સીપ લેવી પડે છે. આ પછી, દરેક સીપમાં નાની સર્જરી કરવી પડે છે. આ શસ્ત્રક્રિયા પછી, છીપની અંદર એક નાનું ન્યુક્લિયસ અને મેટલ પેશી મૂકવામાં આવે છે. પછી છીપ બંધ છે. ધાતુની પેશીમાંથી મુક્ત થતી સામગ્રી ન્યુક્લિયસની આસપાસ એકઠા થવા લાગે છે. આખરે તે મોતીનું રૂપ ધારણ કરે છે. થોડા દિવસો પછી છીપને વિભાજીત કરીને મોતી બહાર કાઢવામાં આવે છે. મોતીની ખેતી માટે સૌથી સાનુકૂળ ઋતુ પાનખર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર માનવામાં આવે છે.
હાલમાં, આપણા દેશના ઘણા રાજ્યોમાં મોતીની ખેતી માટે તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ઝારખંડ સરકારે આદિવાસી લોકો માટે વંદન વિકાસ યોજના હેઠળ ખેડૂતોને મોતીની ખેતી કરવાનું શીખવ્યું છે પરંતુ મોતીની ખેતીમાં ભારોભાર ક્ષમતા અને ગુણવત્તાસભર કાર્યદક્ષતા ધરાવતાં દક્ષિણ ગુજરાતના ખેડુતો માટે કોઈ પ્લેટફોર્મ કે પ્રોત્સાહન નથી મળી રહ્યું. સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે મોતીની ખેતીને જો ઉત્તેજન અપાય તો દક્ષિણ ગુજરાતની શકલ બદલાઈ શકે તેમ છે એ બેમત છે અને એ બાબેત ઘણા સ્તરે રજૂઆતો પણ ભૂતકાળમાં થઈ ચૂકી છે.
નવસારી-વલસાડ જિલ્લામાં મોતીની ખેતી અંગે વાત કરતાં રજનીભાઈ કહે છે કે, અહીંના ખેડુતો છિપમાં અત્યંત કલાત્મક રીતે ગણેશજી અને અન્ય ભગવાનના આબેહુબ દર્શન કરાવતાં હોય તેવા અને એ સિવાય પણ અનેક ડિઝાઇનમાં આકર્ષક મોતી પકવી જાણે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકે પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ કે મહેનતાણું મળી રહે એ માટે જરૂરી માર્ગદર્શન કે સાથ-સહકાર ન હોવાથી તેઓ નિરાશ થાય છે અને એ કલાથી વિમુખ થવા લાગે એ ખરેખર કમનસીબી છે.