જ્યોતિષમાં સૂર્યએ પિતૃકારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો કરિયર અને બિઝનેસમાં ઇચ્છિત સફળતા મળે છે. સૂર્ય દર 30 દિવસે તેમની રાશિ બદલે છે. આ સમયે સૂર્ય ભગવાન તુલા રાશિમાં છે. હવે સૂર્ય 17 નવેમ્બરે બપોરે 01.07 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એ પૂર્વે બુધ ગ્રહ પણ 6 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિમાં બે ગ્રહોની હાજરી કેટલીક રાશિઓને ખૂબ જ લાભ આપનારી છે. તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
મેષ- મેષ રાશિ માટે પણ સૂર્યનું આ સંક્રમણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ તકો રહેશે. વિરોધીઓનો પરાજય થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. આ લોકોના જીવનમાં ખુશીઓ આવશે.
સિંહ રાશિ- સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ ફળ આપનાર છે. નોકરીયાત વર્ગના લોકોને નવી તકો મળશે. તમારું વ્યક્તિત્વ અસરકારક રહેશે. હિંમત અને પરાક્રમ વધશે. દરેક સાથે સારા બનીને રહેવાનો પ્રયત્ન કરવો. લાંબા સમયથી અટકી રહેલા કામ પૂર્ણ થશે. આવકમાં વધારો થશે. તમને અણધાર્યો ધનલાભ પણ થઈ શકે છે.
કન્યા રાશિ– કન્યા રાશિને સૂર્યનું આ સંક્રમણ સારા દિવસોની શરૂઆત લાવશે. આ રાશિના લોકોના જીવનમાં પ્રેમ અને પૈસાની વૃદ્ધિ થશે. કોઈ નવું કામ કે બિઝનેસ શરૂ કરી શકો છો. નાણાકીય લાભ થઈ શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. જીવનમાં સન્માન સાથે આત્મવિશ્વાસમાં વધારો થશે.
કુંભ- સૂર્યના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની પુરેપુરી શક્યતા છે. કાર્યસ્થળમાં તમને મોટી સફળતા મળી શકે છે. તમને તમારા ખાસ મિત્ર તરફથી કોઈ મોટો ફાયદો મળી શકે છે. જીવનસાથી સાથે સારા સંબંધો રહેશે. પિતા તરફથી સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન અટકેલા સરકારી કામ સરળતાથી પૂરા થશે.