વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થવાનું છે. આ વખતે સૂર્યગ્રહણના દિવસે બે મોટા અશુભ યોગો બનવા જઈ રહ્યા છે. આ નકારાત્મક યોગના પ્રભાવથી કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. જ્યોતિષમાં સૂર્યગ્રહણને શુભ માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન રાહુની અસર વધે છે અને સૂર્ય પીડિત થાય છે. આ ગ્રહણ સવારે 07.04 થી બપોરે 12.29 સુધી ચાલશે.
ગ્રહણ દરમિયાન સૂર્ય રાહુ અને બુધની સાથે મેષ રાશિમાં રહેશે. જ્યારે મિથુન રાશિમાં મંગળ બુધની નજીક આવશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે અને બુધ મિથુન રાશિનો સ્વામી છે. આ યોગ 3 રાશિના લોકોની પરેશાનીઓને અમુક હદ સુધી વધારી શકે છે.
મેષ
મેષ રાશિના લોકો માટે યોગ ખૂબ જ અશુભ સાબિત થવાનો છે. આ સમયમાં સ્વાસ્થ્ય બગડી શકે છે. સાથે જ તણાવ પણ વધશે. કામકાજમાં અવરોધો આવશે. કાર્યસ્થળ પર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.
વૃષભ
અશુભ યોગ આ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ લાવશે. અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમારા સ્વભાવમાં બદલાવ આવશે. સૂર્યગ્રહણની અસરથી તમારો ગુસ્સો વધશે. તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. વધારાના ખર્ચથી સમસ્યા વધશે.
કન્યા
અશુભ યોગને કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જૂની બીમારી ફરી ઉભરી શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ વધી શકે છે. ઓફિસમાં કામ પર ધ્યાન આપી શકશો નહીં. કંટાળાનો સામનો કરવો પડી શકે છે.