ફુલેરા દૂજ, ફાગણ સુદ બીજના દિવસ ફૂલેરા બીજએ અતિ પવિત્ર દિવસ છે જ્યારે પંચાંગ શુદ્ધિ વિના તમામ શુભ કાર્ય કરી શકાય છે. ફૂલેરા દૂજના દિવસે લગ્ન, સંસ્કાર, સગાઈ વગેરે જેવા તમામ શુભ કાર્યો કરી શકાય છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત, ગૃહ પ્રવેશ, વાહન ખરીદવા વગેરે માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
આ તહેવાર વિશે પ્રચલિત દંતકથા અનુસાર, એક વખત ભગવાન કૃષ્ણ વ્યસ્તતાને કારણે રાધારાણીને મળવા આવી શક્યા ન હતા. આ કારણે રાધારાણી અને ગોપીઓ ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેમની આ નારાજગીની અસર પ્રકૃતિ પર દેખાવા લાગી. ફૂલો અને જંગલો સુકાઈ જવા લાગ્યા. આ જોઈને ભગવાન કૃષ્ણ બરસાના પહોંચ્યા. વગર વિલંબે તેઓ રાધારાણીને મળ્યા. આ મિલનથી રાધારાણી અને ગોપીઓ જ નહીં, પ્રકૃતિ પણ ખુશ થઈ ગઈ. અચાનક પ્રકૃતિએ રંગ બદલતાં સર્વત્ર હરિયાળી છવાઈ ગઈ. ભગવાન કૃષ્ણે એક ફૂલ ઉપાડીને રાધારાણી પર ફેંક્યું. રાધા રાણીએ પણ ફૂલો તોડીને શ્રી કૃષ્ણ પર ફેંકવા માંડ્યા. આ પછી ગોપીઓએ પણ એકબીજા પર ફૂલ ફેંકવાનું શરૂ કર્યું અને ચારેબાજુ ફૂલોની ધૂળેટી શરૂ થઈ ગઈ.
આ દિવસે ફાગણ માસમાં શુક્લ પક્ષની બીજી તિથિ હતી, ત્યારથી આ દિવસે ફૂલેરા બીજનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. ફૂલેરા બીજના દિવસે શ્રી રાધા-કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તેમને ગુલાલ ચઢાવવામાં આવે છે, જે હોળી પર રમવામાં આવે છે. આ દિવસે ઘરોમાં ફૂલોમાંથી સુંદર રંગોળી બનાવવામાં આવે છે. મથુરા અને વ્રજ વિસ્તારમાં આ દિવસથી હોળી શરૂ થાય છે. હોલિકા દહનમાં ગાયના છાણમાંથી ગુલારી બનાવવાનું કામ ફૂલેરા બીજથી શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ રીતે ઉત્સવ ઉજવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રી રાધા-કૃષ્ણને પુષ્પોથી શણગારવામાં આવે છે. આ તહેવાર પર વિવિધ પ્રકારની મિષ્ટાન બનાવવામાં આવે છે, ભજન, કીર્તન કરવામાં આવે છે.