બે વર્ષ બાદ કોરોના મહામારી ઓસરતાં શિવભક્તો મહાશિવરાત્રિની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. સુરતના શિવમંદિરોમાં રાઉન્ડ ધ ક્લોક તૈયારીઓ ભક્તોમાં થઇ રહી છે.
કોરોનાનો પ્રકોપ હજી સંપૂર્ણ ઘટી નથી ગયો ત્યારે સાવધાની પણ જરૂરી હોવાથી મંદિરમાં દર્શનાર્થીઓને મુશ્કેલીનો કોઇ સામનો ન કરવો પડે તે માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
read more: RBIએ સહાયક પદ માટે 1000 ખાલી જગ્યાઓ બહાર પાડી, માર્ચમાં યોજાશે પરીક્ષા
કંતારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણ અને મંદિર તેમજ ભક્ત મંડળે ગુજરાત બ્રેકિંગ સમક્ષ જણાવ્યા મુજબ, કંતારેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનું પાવન પર્વ-2022ના 1 માર્ચ મંગળવારે શરૂ થઈ રહ્યું છે.
મંગળવારે સવારે 8.૦૦ કલાકે ધજાઆરોહણ અને 9.૦૦ કલાકે પાલખીયાત્રાથી આ મહાપર્વની શરૂઆત થશે. આ દિવસે રાત્રે-7.3૦ કલાકે દિપદર્શન તથા મહાઆરતી રાત્રે-૧૨.૦૦ કલાકે મહાપુજાનું આયોજન થશે.
2જી માર્ચે બુધવારના રોજ બ્રહ્મ સમયે 5કલાકે ધીના કમળ સાથે ભવ્યાતિભવ્ય શણગારના દર્શન શરૂ થશે.