હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. તે દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. લોકો હોંશે હોંશે પતંગ ઉડાવે છે ઊંધિયું પુરીની જિયાફત માણે છે તો ,કેટલીક જગ્યાએ ખીચડી,દેશી ઘી, શાક, પાપડ, દહીં, તલ અને ગોળના લાડુ ખાવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ અવસર પર માત્ર તલ ખાવા જ નહીં પરંતુ તેનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મકરસંક્રાંતિ ક્યારે છે, 14મી જાન્યુઆરી કે 15મી જાન્યુઆરી?
છેલ્લા ઘણા વર્ષોથી, મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ આવે છે, પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ, મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી (મકરસંક્રાંતિ તારીખ 2024) ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરે છે. મકર રાશિનો સ્વામી શનિદેવ છે અને શનિદેવના પુત્ર સૂર્યદેવ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસંગે સૂર્યદેવ તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તલનું દાન કરવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે છે. આ સિવાય શનિદેવની કૃપા પણ બની રહે છે. મકરસંક્રાંતિ પર તલનો ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા તો મળે જ છે સાથે જ તમને આર્થિક લાભ પણ મળે છે.
આ રીતે કરો તલનો ઉપયોગ
મકરસંક્રાંતિ પર સ્નાન કરતા પહેલા તલની પેસ્ટ તમારા શરીર પર લગાવો. તેનાથી તમે દરેક પ્રકારની ખરાબ નજરથી સુરક્ષિત રહેશો.
ઉપાય માટે સફેદ અને કાળા બંને તલનો ઉપયોગ કરી શકાય છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી કાળા તલનું દાન કરો. આનાથી તમને સૂર્ય અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમે તમારા કાર્યમાં લાભ મેળવી શકશો.
તલ ખાવાથી પણ ફાયદા થાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પર તલનું દાન કરવું ખૂબ જ શુભ છે અને તલનું સેવન કરવું પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું સેવન કરે છે તો તેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેનાથી વ્યક્તિના જીવનમાં ધનની સાથે સુખ-સમૃદ્ધિ આવે છે.