આજે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉપયોગી તમામ માહિતી. મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (માં વાત્સલ્ય) યોજનાને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મર્જ કરી PMJAY-MA ખઅ યોજના કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા તા.01/03/2019 થી લાભ આપવાની શરૂઆત થઈ છે.
PMJAY-MA કાર્ડ કાઢવામાં જરૂરી ડોક્યુમેન્ટમાં આવકનો દાખલો (મામલતદારનો ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ દાખલો, પારિવારિક વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ), બારકોડેડ રેશનકાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, જે વ્યક્તિનું કાર્ડ કઢાવવાનું છે તે વ્યક્તિએ રૂબરૂ આરોગ્ય કેન્દ્ર ખાતે આવવાનું રહેશે, રેશનકાર્ડમાં દર્શાવેલ સભ્યો પૈકી કોઈપણ એક વ્યક્તિનું PMJAY-MA કાર્ડ કાઢવા માટે એન્ટ્રી થશે જેનું અપ્રુવ થયા બાદ જ રેશનકાર્ડના અન્ય સભ્યને ઉમેરી શકાશે. પ્રથમ એક વ્યક્તિનું કાર્ડ અપ્રુવલ થયા બાદ જ અન્ય વ્યક્તિના કાર્ડ નીકળશે.
આ કાર્ડની સેવા વિનામુલ્યે ઉપલબ્ધ થાય છે, PMJAY-MA યોજનાના તમામ લાભાર્થીઓને કુલ 2681 પ્રકારની મેડિકલ સારવાર/પ્રોસીજરોનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રતિ વર્ષ રૂ. 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. પ્રાથમિક, સેકંડરી અને ગંભીર બીમારીઓનો તેમાં સમાવેશ થયો છે, જેમાં મુખ્યત્વે જનરલ મેડિસીન, પીડિયાટ્રીક, મેડિકલ મેનેજમેન્ટ, મેન્ટલ ડીસઓર્ડર, નવજાત શીશુની બીમારીઓના તમામ લાભ, બાળસખા યોજના તથા ચિરંજીવી યોજનાનો લાભ પણ ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે, હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, કંસલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલોઅપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના હેઠળ લાભાર્થીને સારવાર માટે હોસ્પિટલ આવવા જવાના ભાડા પેટે રૂ. 300/- ની સહાય પણ આપવામાં આવે છે.
લાભાર્થીએ આરોગ્ય કેન્દ્ર પૈકી નજીકના કીયોસ્ક (આરોગ્ય કેન્દ્ર)ની મુલાકાત લેવી, કિયોસ્ક પર લાભાર્થીએ નામ સર્ચ કરાવવું જો ડેટાબેઝમાં નામ ન મળે તો ખઅ/ખઅટ માં લાયકાત ધરાવતા લાભાર્થીએ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે, લાભાર્થીએ આધાર લીંક કરવાનું રહેશે અને ત્યાર બાદ કુટુંબની ઓળખ માટેના દસ્તાવેજ રજુ કરવાના રહેશે, જરૂરી દસ્તાવેજો ચકાસણી માટે મોકલવામાં આવશે ચકાસણી અને મંજુરી મળ્યા બાદPMJAY-MA સાથે નવું PMJAY-MA કાર્ડ જનરેટ થશે, લાભાર્થીઓને આ કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે લાભાર્થીએ એક પણ પૈસા ચુકવવાના રહેતા નથી, માં તથા માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું તેના બદલે હવે દરેક લાભાર્થીને PMJAY-MA કાર્ડ વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવે છે, રાજ્ય સરકારશ્રી દ્વારા PMJAY-MA યોજના અંતર્ગત લાભાર્થીને કાર્ડ કોમન સોફ્ટવેર દ્વારા આધાર વેરિફીકેશન ફરજીયાત કરી કાર્ડ કાઢી આપવામાં આવે છે.