સ્પર્શ નગરીમાં પદ્મભૂષણથી સન્માનિત, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજીના 400મા પુસ્તક ‘સ્પર્શ’ના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. એ જાણવું જરૂરી છે અહીં કે સંસ્કૃત, બ્રેઈલ,હીબ્રુ, અંગ્રેજી, કન્નડ, તામીલ, પંજાબી સહિત દેશ-વિદેશની 16 ભાષાઓમાં આ ગ્રંથનું પ્રત્યક્ષ તથા ડિજિટલ વિમોચન કરવામાં આવ્યું હતું.
સંયમૈકલક્ષી પ.પૂ.આ.જગત્ચંદ્રસૂરીજી, ત્રિસ્તુતિક ગચ્છાધિપતિ આચાર્ય નિત્યસેનસૂરીશ્વરજી સહિત વિવિધ સમુદાયના પૂજય આચાર્ય ભગવંતોની નિશ્રા આ પ્રસંગે હતી.
એ ગૌરવની ક્ષણ છે કે, જૈન સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોંગ્રેસ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવના હાઉસ મેજોરિટી લીડર સ્ટેની એચ. હોયરે આ પુસ્તકનું ડિજિટલ અનાવરણ અમેરિકામાં કર્યું.
અમેરિકાના સેનેટર સ્ટેની એચ. હોયરે પોતાની સર્વોચ્ચ ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમેરિકાની દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ‘સ્પર્શ’ પુસ્તકને લાવવું જોઈએ. હાસ્ય લેખક ડો.જગદીશભાઈ ત્રિવેદીએ આ પ્રસંગે કહ્યું કે, સ્પર્શ મહોત્સવ એ મારા માટે મનોરંજન નહીં પરંતુ આત્મરંજનનો કાર્યક્રમ બની ગયો.
સરસ્વતીલબ્ધ પ્રસાદ આચાર્ય ભગવંત રત્નસુંદરસરિશ્વરજી મહારાજે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે બાળક નાનો હોય ત્યારે તેનામાં બેટ પકડવાની કે પેન પકડવાની ક્ષમતા હોતી નથી ત્યારે તેની માતા ધીરે-ધીરે બાળકનો હાથ પકડીને તેને શીખવે છે. એ જ રીતે મારા જીવન જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, તેની સંપૂર્ણ સફળતાનો શ્રેય મારા ગુરુરૂપી માતાને મળે છે.
જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓને કહ્યું કે જીવનમાં સંયમ, સંસ્કાર, શુદ્ધિની સાથે સંસ્કાર રાખજો. આ સંદર્ભે કહેવું છે કે સેક્સ એજયુકેશનથી ભારતના 15 કરોડથી વધુ યુવા પેઢીને બચાવવાની હતી, તેની પાછળ જે અમારા પ્રયાસો થયા છે, પરંતુ તેમાં અમારા ગુરુદેવ અને નેમિનાથ પ્રભુ અમારી સાથે નિરંતર રહ્યા હતા. 400મા પુસ્તકના વિમોચન પ્રસંગે એટલું જ કહેવાનું કે આ સિદ્ધિનો શ્રેય પ્રભુની કરુણા, ગુરુદેવની કૃપા, સંઘના આશિષ, મા સરસ્વતીની સતત શુભકામનાને અપાય છે.