હજારો શ્રદ્ધાળુંઓની આસ્થાના પ્રતિક એવા વિખ્યાત ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કનકેશ્વરીદેવીજીના વ્યાસ આસને રામકથા ચાલી છે. આ કથાના નવમા અને અંતિમ દિવસે તા 16 ને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કથામાં વર્ચ્યુયલ હાજર રહેશે સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી તેઓ વરચ્યુલી કથામાં જોડાઈ ઉપસ્થિતોને સંબોધન કરશે
મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના માર્ગ સ્થિત ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવસમી ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત થઈ છે આ પ્રતિમાનું અનાવરણ ત્યાં ચાલતી રામકથાના પહેલા જ દિવસે કરવામાં આવ્યું હતું આ કથામાં કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુયલી જોડાશે.
ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કનકેશ્વરીદેવીજીના વ્યાસ આસને રામકથા ચાલી રહી છે. લાખોની સંખ્યામાં રોજ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે લોકો રામકથાનું રસપાન કરી રહ્યા છે. કથામાં આવતા ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.
આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન દ્વારા જણાવ્યા મુજબ, ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાન ગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે.