ઘર આંગણેથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા અપમાનનો સામનો કરીને, પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેવટે ODI વર્લ્ડ કપ 2023 માટે ભારત પહોંચી ગઈ છે. ભારતે જોકે, મોટું મન બતાવીને વિશ્વની અન્ય ટીમોની જેમ, તેનું પણ ભારતમાં ભવ્ય સ્વાગત કર્યું. ભારત તેના આતિથ્યભાવ માટે વિશ્વમાં જાણીતું છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ મળેલા પ્રેમથી ખેલાડીઓ અને વિશ્વના તમામ ક્રિકેટ ચાહકોની આંખો ચમકી ઉઠી હતી. આમ છતાં પાકિસ્તાનના કેટલાક લોકો ક્યારેય સુધરશે નહીં. ઉદાહરણ પૂર્વ ક્રિકેટર મુશ્તાક અહેમદનું જ લઈએ.
સ્પિન બોલર મુશ્તાકે સમા ટીવી પર ક્રિકેટ વર્લ્ડ કપની ચર્ચા દરમિયાન એન્કરની હામાં હા ભરતાં પર ઝેર ઓકવાનું શરૂ કરી દીધું હતું. તેનો બકવાસ ભરેલો તર્ક એવું કહેતો હતો કે હૈદરાબાદ અને અમદાવાદ રાજ્યોમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. અમારી ટીમને એ લોકો તરફથી ઘણો સપોર્ટ મળશે. ખરેખર, એન્કરે આ બકવાસ શરુ કરતાં કહ્યું કે, આપણે ભારત સાથે રમવા માટે અમદાવાદ જવું પડશે. આપણને હૈદરાબાદમાં પ્રશંસકોનો સાથ મળવાનો છે. પહેલા વિઝાની સમસ્યા હતી, પરંતુ હવે તમામ મુદ્દાઓ બાજુ પર છે અને અમને સમર્થન મળી રહ્યું છે. એ અલગ વાત છે પરંતુ પાકિસ્તાની ટીમને પ્રશંસકોની કમી નહીં લાગે.
આટલેથી ન અટકતાં એ શોમાં મુશ્તાક કહે છે- ભારતના અમદાવાદ અને હૈદરાબાદ શહેરમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. આથી પાકિસ્તાનના ખેલાડીઓનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ટીમને અહીં ઘણો સપોર્ટ મળશે.
મુશ્તાકને એક ક્રિકેટર તરીકે તેની સિદ્ધિ બદલ લોકોએ માન આપ્યું પરંતું એ સફળતા તે પોતાના નીચા વિચારોથી પચાવી ન શક્યો અને તેણે ભારત સામે ઝેર ઓકવાનું છોડી દીધું નથી. આ પહેલા રાણા નાવેદે પણ એ જ નિવેદન આપ્યું હતું જે આજે મુશ્તાક અહેમદે કહ્યું હતું. નાવેદે કહ્યું કે હૈદરાબાદ અને અમદાવાદમાં રહેતા મુસ્લિમો પાકિસ્તાનનું સમર્થન કરે છે.