જ્યારે કોઈ ગ્રહ વક્રી કે માર્ગી હોય છે. તે દરેક રાશિચક્રને અસર કરે છે. 4 સપ્ટેમ્બરે ગુરુ મેષ રાશિમાં વક્રી થયો. ગુરુ દેવ 31 ડિસેમ્બર એટલે કે વર્ષના અંતિમ દિવસ સુધી મેષ રાશિમાં રહેશે. ગુરુ ધન અને મીન રાશિનો શાસક ગ્રહ છે. હાલ તેનું ગોચર મેષ રાશિમાં હોવાના કારણે કેટલીક રાશિઓ પર તેની શુભ અસર પડશે. જાણો એ કઈ રાશિ છે જેમના માટે 2023 ના બાકીના દિવસો સુખદ રહેશે.
મેષ- ગુરુ મેષ રાશિમાં વક્રી છે. આ રાશિ માટે ગુરુ સૌથી વધુ અસરકારક રહેશે. આ 2023ના અંતિમ દિવસ સુધીના સમયગાળા દરમિયાન, ગુરુ મેષ રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના ભરપૂર છે. જો તમે કોઈ રોકાણની યોજના ધરાવો છો તો તેના માટે આ સમય અનુકૂળ છે. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો.
તુલા- બૃહસ્પતિ વક્રી થયો એ દિવસથી જ તુલા રાશિના જાતકો માટે લાભદાયક સમય શરૂ થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર આ ત્રણ મહિના વરદાનથી ઓછા નથી. આ સમયગાળા દરમિયાન ચારે બાજુથી ધનલાભ થઈ શકે છે. લાંબા યાત્રા-પ્રવાસની પણ સંભાવના છે. તમને સામાજિક રીતે ઈચ્છિત પરિણામો પણ મળશે જેનો લાભ ઝડપી લેશો તો ફાયદો થશે.
મીન- ગુરુ મીન રાશિનો સ્વામી છે. ગુરુનું વક્રી પરિભ્રમણ આ રાશિના જાતકોના આર્થિક સંસાધનોનો વ્યાપ વધારી શકે છે. વિવાહિત જીવનમાં આનંદની અનુભૂતિ થશે. જૂના મિત્રને મળવાથી તમને આનંદ થશે. યુવાનો માટે સફળતાના માર્ગો મજબૂત થતો દેખાય છે. વિદેશ પ્રવાસની યોજના ચાલતી હોય તો એ આ સમયમાં સાકાર થઈ શકે છે.
દેવગુરુની અશુભ અસરના લક્ષણો-ઃ માથા પરના વાળ ઝડપથી ખરવા લાગે છે, અભ્યાસમાં અવરોધો આવવા લાગે છે, આંખોમાં દુખાવો થાય છે, સ્વપ્નમાં સાપ જોવો, પોતાના વિશે નકામી અફવાઓ ફેલાય, ગળામાં દુખાવો અને ફેફસામાં ઈન્ફેક્શન.
.
ગુરુની શાંતિ માટે ઉપાય-ઃ હળદરની એક ગાંગડી પીળા દોરામાં બાંધીને જમણા હાથ પર બાંધવો જોઈએ, કેસરનું તિલક લગાવો, પીળા કપડામાં થોડું કેસર બાંધીને પોતાની પાસે રાખો, ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ, ઘરમાં સૂર્યમુખીનો છોડ ઉગાડવો.
બૃહસ્પતિનો મંત્ર
વૈદિક મંત્ર- ओम बृहस्पते अति यदर्यो अहोद् द्युमद्विभाति क्रतुमज्जनेषु। यद्दीदयच्छवस ऋचप्रजात तदस्मासु द्रविणं धेहि चित्रम्।।
તાંત્રિક મંત્ર- ओम बृं बृहस्पतये नमः।
બીજ મંત્ર- ओम ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः।