તેને ગોધન તરીકે પૂજવામાં આવે છે. હિંદુ ધર્મ સાથે સંબંધિત શાસ્ત્રો, પુરાણો અને વેદોમાં ગાયનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. દેવતાઓમાં ગાય ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે, તેથી જ લોકો ગાય માટે દરરોજ પ્રથમ રોટલી કાઢે છે. વાસ્તવમાં, સનાતન ધર્મ અનુસાર, ગાયમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. માત્ર ધર્મમાં જ નહીં પરંતુ જ્યોતિષમાં પણ ગૌમાતા ઉચ્ચ સ્થાન ધરાવે છે. જાણીએ ગૌમાતા સંબંધિત ધાર્મિક અને જ્યોતિષીય ઉપાયો જે આપણા જ્યોતિષ ગ્રંથોમાં જોવા મળે છે. આ ઉપાયો કરવાથી ગ્રહો સંબંધિત અશુભ પરિણામ ઓછા થાય છે.
સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન તૈયાર થાય ત્યારે સૌ પ્રથમ ગૌમાતાના નામની રોટલી બહાર કાઢો, જાતે ભોજન કરતા પહેલા ગૌમાતાને ખવડાવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોની શાંતિ માટે ગાયની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે જો તમારી કુંડળીમાં મંગળનું અશુભ પરિણામ મળી રહ્યું હોય તો લાલ રંગની ગાયની સેવા કરો અને શક્ય હોય તો લાલ રંગની ગાય કોઈ ગરીબ બ્રાહ્મણને દાન કરો.
જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ અશુભ પ્રભાવ આપી રહ્યો છે તો તમારે ગાયોને દરરોજ અથવા બુધવારે લીલો ચારો ખવડાવવો જોઈએ જેથી તેની શુભતા પ્રાપ્ત થાય.
જો આ સમયે શનિની મહાદશા કે નાની અથવા કે સાડા સાતીની પનોતી ચાલી રહી હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે કાળા રંગની ગાય બ્રાહ્મણને દાન કરો.
જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને દૂર કરવા માટે દરરોજ અથવા અમાવાસ્યાના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો વગેરે ખવડાવો.
જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે તો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે દરરોજ ગાયની સેવા કરવી જોઈએ.